જેતપુરમાં પતિએ કરી પત્નીની હત્યા, અનૈતિક સંબંધોને લઈને થતાં હતા અવારનવાર ઝગડા

B INDIA જેતપુર : જેતપુરમાં પતિએ પત્નીની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. બળદેવ ધાર વિસ્તારમાં રહેતા ફિરોઝ હારુનભાઈ મડમના નિકાહ મહારાષ્ટ્ના પુના ગામની શબનમ સાથે દસેક વર્ષ પૂર્વે થયા હતાં. દસ વર્ષના લગ્ન જીવનમાં ફિરોઝ અને શબનમ એક પુત્ર અને પુત્રીના માતા-પિતા બન્યા. નિકાહના પાંચેક વર્ષ સુધી ઘર સંસાર સારી રીતે ચાલ્યો પરંતુ ત્યારબાદ બંને વચ્ચે નાની નાની બાબતે ખટરાગ શરૂ થયો હતો. છેલ્લા કેટલાક સમયથી ફિરોઝને પત્નીના વર્તન પર શંકા ગઈ. ફિરોઝને લાગતું હતું કે, તેની પત્ન શબનમના અન્ય કોઈ સાથે સંબંધ છે. આ બાબતને લઈને પતિ-પત્નિ વચ્ચે અનેક વખત ઝગડાઓ થયા. પત્નીના અનૈતિક સંબંધને લઈને ફિરોઝે અનેક વખત શબનમની પૂછપરછ પણ કરતો ત્યારે વચ્ચે બંને ખાસ્સી બોલાચાલી હતી.

શબનમ પાંચેક મહિના પૂર્વે સંતાનોને છોડી એક શખ્સ સાથે ચાલી ગઈ હતી. અન્ય પુરુષ સાથે શબનમનો ગાઢ સંબંધ બંધાયો. પત્ની ચાલી જતાં એ વખતે ફિરોઝે ઉદ્યોગનગર પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. થોડા દિવસ એ પુરુષ સાથે રહ્યા બાદ શબનમ ઘરે પરત આવી. પોલીસે પણ તેમના સંતાનોના ભવિષ્યને લઈને શબનમને ઠપકો આપી ઘરે મોકલી. પરપુરુષ સાથે પત્નીનો સંબંધ પતિને મંજૂર નહોતો. પરંતુ સંતાનોની ચિંતા થતાં પિતાના કહેવાથી ફિરોઝે શબનમને સ્વીકારી લીધી.જો કે થોડા જ સમયમાં ફરી પાછા ફિરોઝ અને શબનમ વચ્ચે ઝગડાઓ થવા લાગ્યા. અને ગઈકાલે બંને વચ્ચેનો ઝગડો વધુ ઉગ્ર બન્યો.

અને શબનમની હત્યા કરી. પત્નીની હત્યા કરી હોવાની ફિરોઝે પોતાના પિતાને જાણ કરી. જો કે ફિરોજના પિતાએ તેને ભાગવના બદલે પોલીસમાં હાજર થવાનું કહેતા તે પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો. ફિરોઝના પિતાએ જ પોલીસને જાણ કરી કે તેમના પુત્રએ પુત્રવધુની હત્યા કરી છે. પોલીસ સ્થળ પર પહોચતા ઘરમાં બંનેની પથારી યથાવત હતી. જેમાં એક ખૂણામાં શબનમ સુતેલ અવસ્થા પડેલ હતી અને તેણીના મોઢા પર ઓશીકું રાખેલ હતું. જે ઓશીકું હટાવતા માથાના ભાગે લોહીથી ખરડાયેલ શબનમનો મૃતદેહ પડ્યો હતો અને બાજુમાં જેના વડે તેણીની હત્યા નિપજાવી તે બળતણનું લાકડું પણ પડ્યું હતું. પોલીસે સ્થળ પંચનામું કરી મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પીટલ ખસેડેલ અને હત્યાની ફરીયાદ નોંધી હતી.

Related Posts

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, Pride Rally

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, મહાનુભાવોએ સાથે ભોજન લીધું ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાત લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલે અગાઉ જેમના ઘરે આત્મીયતાથી ભોજન લીધું હતું તે 21 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરિવારોને લોકભવન ખાતે વિશેષ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગો વચ્ચે સમાનતા, પરસ્પર સન્માન અને આત્મીયતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ…

લોરેન્સ ગેંગની Canadaને ધમકી: “અમે Canadaપર રાજ કરીશું”, 5000થી વધુ ગેંગ સભ્યો હોવાનો દાવો; Threat Surge

લોરેન્સ ગેંગની Canadaને ધમકી: “અમે Canadaપર રાજ કરીશું”, 5000થી વધુ ગેંગ સભ્યો હોવાનો દાવો; ગોળીબારની પણ ધમકી Canadaમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલી તપાસ દરમિયાન સામે આવેલા એક કથિત ધમકીભર્યા પત્રને લઈને ચકચાર મચી છે. કેનેડિયન પોલીસને મોકલવામાં આવેલા આ પત્રમાં ગેંગ તરફથી કેનેડામાં 5,000થી વધુ સભ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પત્રમાં કેનેડિયન પોલીસ અને સુરક્ષા એજન્સીઓને પડકાર આપતા “અમે કેનેડા પર રાજ કરીશું” જેવી ધમકી આપવામાં આવી હોવાનો અહેવાલ છે. આ પત્ર મૂળ વર્ષ 2025માં Canadaના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના એબોટ્સફોર્ડ પોલીસ વિભાગને મોકલવામાં આવ્યો હતો. જોકે તેનો સંપૂર્ણ લખાણ તાજેતરમાં જ જાહેર થયેલા દસ્તાવેજોના આધારે સામે આવ્યું છે. CBC News દ્વારા મેળવવામાં આવેલા દસ્તાવેજો મુજબ, આ પત્ર ઈમિગ્રેશન એન્ડ રેફ્યુજી બોર્ડ (IRB)ની એક કાર્યવાહી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *