જામનગરમાં રંગમતી નદીનાં પટ્ટામાં ચાલ્યું દાદાનું બુલડોઝર, ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

B INDIA દ્વારકા : દ્વારકા બાદ જામનગરમાં ગેરકાયદે બાંધકામ બુલડોઝર ફરી વળ્યું છે. રંગમતી નદીના પટ્ટામાં ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યા છે.એટલું જ નહીં પાણીના વહેણને અવરોધરૂપ બાંધકામ દૂર કરાયા છે. તેમજ અંદાજિત 8000થી વધુ ગેરકાયદે બાંધકામ હટાવાયા છે.વહેલી સવારથી આ દબાણો દૂર કરવામાં આવ્ચા છે. જેમાં કોર્પોરેશનની અને પોલીસની ટીમ કામે લાગી ગઈ છે. પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે આ દબાણો દૂર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, રંગમતી નદીના પટ્ટામાં 15 હજાર ચોરસમીટરની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે અને 4 જેસીબી મશીન મદદથી દબાણો દૂર કરાયા છે. ઉલ્લેખનિય છે કે, અગાઉ તંત્રએ નોટીસ આપી હતી. પરંતુ દબાણો ખાલી કરવામાં આવ્યા ન હતા. જેથી આજે તંત્રએ નોટીસના આધારે દબાણો દૂર કરી દીધા છે. અલગ-અલગ 10 દબાણો…