જામનગરમાં રંગમતી નદીનાં પટ્ટામાં ચાલ્યું દાદાનું બુલડોઝર, ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

B INDIA દ્વારકા : દ્વારકા બાદ જામનગરમાં ગેરકાયદે બાંધકામ બુલડોઝર ફરી વળ્યું છે. રંગમતી નદીના પટ્ટામાં ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યા છે.એટલું જ નહીં પાણીના વહેણને અવરોધરૂપ બાંધકામ દૂર કરાયા છે. તેમજ અંદાજિત 8000થી વધુ ગેરકાયદે બાંધકામ હટાવાયા છે.વહેલી સવારથી આ દબાણો દૂર કરવામાં આવ્ચા છે. જેમાં કોર્પોરેશનની અને પોલીસની ટીમ કામે લાગી ગઈ છે. પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે આ દબાણો દૂર કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, રંગમતી નદીના પટ્ટામાં 15 હજાર ચોરસમીટરની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે અને 4 જેસીબી મશીન મદદથી દબાણો દૂર કરાયા છે. ઉલ્લેખનિય છે કે, અગાઉ તંત્રએ નોટીસ આપી હતી. પરંતુ દબાણો ખાલી કરવામાં આવ્યા ન હતા. જેથી આજે તંત્રએ નોટીસના આધારે દબાણો દૂર કરી દીધા છે. અલગ-અલગ 10 દબાણો હતા તેને દૂર કરવામાં આવ્યા છે. દેશની સુરક્ષા .

અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પીરોટન ટાપુ પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. પીરોટન ટાપુ પર અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે. પીરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

Related Posts

અમદાવાદના સાણંદ GIDCમાં ભીષણ આગ, કંપનીમાં મોટું નુકસાન

અમદાવાદ જિલ્લામાં આવેલા સાણંદ GIDC વિસ્તારમાં રવિવાર (3 મે)ના રોજ ભીષણ આગની ઘટના સામે આવી છે. Ahmedabad નજીક આવેલા આ ઉદ્યોગ વિસ્તારની વન્ડર ગેટ પાસે સ્થિત IPD નામની ખાનગી કંપનીમાં…

ગુજરાતમાં આકરી ગરમી યથાવત્, India Meteorological Department દ્વારા યલો એલર્ટ જાહેર

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે અને આગામી દિવસોમાં રાહત મળવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *