‘જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ’, અમેરિકી રાજદૂત સર્જિયો ગોરની મુલાકાતથી વધ્યું વ્યૂહાત્મક મહત્વ
અમેરિકાના ભારતસ્થિત રાજદૂત સર્જિયો ગોરે જમ્મુ-કાશ્મીરની પ્રથમ સત્તાવાર મુલાકાત દરમિયાન આ વિસ્તારને ભારતનો અભિન્ન ભાગ ગણાવતા મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ગોરે શ્રીનગરમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન જમ્મુ-કાશ્મીરની સુરક્ષા સ્થિતિ, પ્રવાસન, વિકાસ અને ભારત-અમેરિકા સંબંધો અંગે ચર્ચા કરી હતી. તેમની મુલાકાતને ભારત-અમેરિકા વચ્ચેના વધતા વ્યૂહાત્મક સંબંધોના સંદર્ભમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અમેરિકી રાજદૂતની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસન, સુરક્ષા અને આર્થિક વિકાસના મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી છે. ગોરે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે પણ મુલાકાત કરી હતી. જમ્મુ-કાશ્મીર અંગે અમેરિકી રાજદૂતનું નિવેદન સર્જિયો ગોરે શ્રીનગર પહોંચ્યા બાદ જમ્મુ-કાશ્મીરને ભારતનો મહત્વપૂર્ણ અને અભિન્ન ભાગ ગણાવ્યો હતો. તેમણે પ્રદેશની સુંદરતા અને અહીં પ્રથમ વખત આવ્યાનો અનુભવ પણ વ્યક્ત કર્યો. આ નિવેદનને કારણે…
જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, સર્જાયો ભારે વિનાશ…. 3ના મોત
રવિવારે સવારે જમ્મુ-કાશ્મીરના રામબનના ધર્મકુંડમાં અચાનક પૂર આવ્યું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ અચાનક આવેલા પૂરમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગુમ થયો છે અને ઘણા ઘરોને નુકસાન થયું છે. ઉપરાંત, ઘણા લોકો તેમના ઘરોમાં ફસાયેલા છે, તેમને બચાવવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ભારે વરસાદને કારણે નાળામાં પાણી વધી ગયું અને અચાનક પૂર આવ્યું. આ પાણી ચેનાબ પુલ પાસે ધર્મકુંડ ગામમાં પ્રવેશ્યું. ગામમાં પાણી ઘૂસી જવાથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. અનેક ઘરોને નુકસાન પ્રાપ્ત માહિતી અનુસાર, ગામમાં ઘૂસેલા પૂરના પાણીથી 100 ઘર સંપૂર્ણપણે નાશ પામ્યા છે, જ્યારે 25 થી 30 ઘરોને આંશિક નુકસાન થયું છે.મળતી માહિતી મુજબ, વિસ્તારમાં પાણી…








