અફઘાનિસ્તાને કર્યો પાકિસ્તાનનો પર્દાફાશ, કહ્યું – “ભારતીય મિસાઇલો અમને કોઈ નુકસાન પહોંચાડતી નથી”

પાકિસ્તાનના ભારત વિરોધી દાવાઓ એક પછી એક પથ્થર પર પડતા જોવા મળી રહ્યા છે. પહેલગામ આતંકવાદી હુમલાથી લઈને ઓપરેશન સિંદૂર સુધી પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આરોપો હવે ધૂળખાતાં જાય છે. તાજું ઉદાહરણ છે અફઘાનિસ્તાનનો પકડાયો પર્દાફાશ. અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકીએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે “ભારતીય મિસાઇલોથી અફઘાનિસ્તાનને કોઈ નુકસાન થયું નથી”. આ નિવેદન તેમણે ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે ટેલિફોન પર વાતચીત દરમિયાન આપ્યું. મુત્તાકીએ પાકિસ્તાની દાવાઓને “ખોટા અને પાયાવિહોણા” ગણાવતાં સ્પષ્ટ કર્યું કે અફઘાનિસ્તાન ભારત સાથે સહકારમાં છે અને તથ્યોના આધાર વગરના આરોપો પર વિશ્વાસ નથી કરતી. તેમની સાથેની વાતચીતમાં તાલિબાન તરફથી પણ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું. ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે મુત્તાકીના આ નિવેદનનું સ્વાગત…