ઇસ્લામાબાદમાં શુક્રવારની નમાજ દરમિયાન મોટો વિસ્ફોટ, શહેરમાં કટોકટી જાહેર

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદના તરલાઈ વિસ્તારમાં આવેલી ઇમામ બારગાહ ખાદીજાત-ઉલ-કુબ્રામાં શુક્રવારની નમાજ દરમિયાન એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો છે. વિસ્ફોટની માહિતી મળતાં જ પોલીસ, સુરક્ષા એજન્સીઓ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઇમામ બારગાહ અને આસપાસના વિસ્તારોને સીલ કરી દેવામાં આવ્યા છે અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને અટકાવવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરમાં કટોકટીની સ્થિતિ અધિકારીઓના જણાવ્યા અનુસાર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઇસ્લામાબાદમાં કટોકટી જાહેર કરવામાં આવી છે. હાલ સુધી સત્તાવાર રીતે જાનહાનિની પુષ્ટિ થઈ નથી, પરંતુ પાકિસ્તાની મીડિયા મુજબ અનેક લોકોના મોત અને ઘાયલ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા પાકિસ્તાની મીડિયા આઉટલેટ ડોન ન્યૂઝ અનુસાર, વિસ્ફોટમાં અનેક લોકો ઘાયલ…

પાકિસ્તાન : ઇસ્લામાબાદ આત્મઘાતી વિસ્ફોટ બાદ PM શાહબાઝ શરીફે ભારત પર લગાવ્યો ગંભીર આરોપ

ઇસ્લામાબાદ કોર્ટની બહાર થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ બાદ, જેમાં 12 લોકોના મોત થયા હતા, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ફરી એકવાર ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. શરીફે આ હુમલાઓ માટે “ભારત પ્રાયોજિત આતંકવાદી સંગઠનો”ને જવાબદાર ઠેરવ્યા છે અને કહ્યું કે આ હુમલાઓનો હેતુ પાકિસ્તાનને અસ્થિર બનાવવાનો છે. પાકિસ્તાનની સરકારી સમાચાર એજન્સી APP (Associated Press of Pakistan) અનુસાર, શરીફે અફઘાન સરહદ નજીકના વાનામાં આવેલી કેડેટ કોલેજ પર થયેલા હુમલામાં પણ નવી દિલ્હીની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. APP એ તેમને ટાંકીને કહ્યું કે, “આ હુમલાઓ ભારત-પ્રાયોજિત આતંકવાદનો ભાગ છે.” વિશ્લેષકોનું કહેવું છે કે પાકિસ્તાનના વડા પ્રધાનનું આ નિવેદન દેશની આંતરિક નિષ્ફળતાઓ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે. પાકિસ્તાન લાંબા સમયથી આતંકવાદી સંગઠનોને આશ્રય આપતું આવ્યું છે અને હવે…