પાકિસ્તાનની હોસ્પિટલમાં ભીષણ આગ: 14 નવજાતનાં મોત, ACમાં ખામીથી આગ લાગ્યાની આશંકા

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં બુધવારે સવારે બનેલી એક હૃદયદ્રાવક દુર્ઘટનામાં અનેક નવજાત શિશુઓએ જીવ ગુમાવ્યો છે. ઇસ્લામાબાદની પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (PIMS) હોસ્પિટલના ગાયનેકોલોજી વિભાગમાં આવેલા નવજાત શિશુઓના વોર્ડમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં 14 નવજાત શિશુઓનાં મોત થયા છે, જ્યારે એક બાળકને જીવિત બચાવી લેવામાં આવ્યું હતું. શરૂઆતના અહેવાલોમાં મૃત્યુઆંક 15 હોવાનું પણ જણાવાયું હતું, પરંતુ બાદમાં હોસ્પિટલ અને સરકારી અધિકારીઓએ 14 બાળકોનાં મોતની પુષ્ટિ કરી છે. હોસ્પિટલમાં સવારે 6:45 વાગ્યે આગ લાગી મળતી માહિતી પ્રમાણે બુધવારે સવારે આશરે 6:45 વાગ્યે PIMS હોસ્પિટલના ત્રીજા માળે આવેલા Mother and Child Health Wardના NICUમાં આગ લાગી હતી. આ વોર્ડમાં નવજાત બાળકો સારવાર હેઠળ હતાં. આગ લાગ્યા બાદ થોડા જ સમયમાં વોર્ડમાં…

પાકિસ્તાને વિદેશી પત્રકારો માટે નવા નિયમો લાગુ કર્યા, NOC વિના ઇસ્લામાબાદ, લાહોર અને કરાચી બહાર નહીં કરી શકાય રિપોર્ટિંગ

પાકિસ્તાન સરકારે વિદેશી પત્રકારો માટે નવા રિપોર્ટિંગ નિયમો જાહેર કર્યા છે. નવા નિયમો મુજબ હવે આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાઓ માટે કામ કરતા વિદેશી પત્રકારોએ ઇસ્લામાબાદ, લાહોર અને કરાચીની બહાર કોઈપણ વિસ્તારમાં રિપોર્ટિંગ કરવા પહેલાં નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવવું ફરજિયાત રહેશે. સરકારના આ નિર્ણયને કારણે ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં સ્વતંત્ર રિપોર્ટિંગ પર અસર પડી શકે તેવી ચર્ચા ચાલી રહી છે. માહિતી અનુસાર, પાકિસ્તાનમાં નવા નિયમોનો અમલ તાત્કાલિક અસરથી કરવામાં આવ્યો છે. હવે કોઈપણ વિદેશી પત્રકાર જો પાકિસ્તાનના અન્ય શહેરો અથવા સંવેદનશીલ વિસ્તારોમાં મેદાની રિપોર્ટિંગ કરવા માંગતા હોય તો તેમને અગાઉથી સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે. મંજૂરી વિના રિપોર્ટિંગ કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં. સંવેદનશીલ વિસ્તારોમાં પત્રકારો પર વધશે નિયંત્રણ નવા નિયમો બાદ પાકિસ્તાન કબજા હેઠળનો કાશ્મીર (PoK),…

પાકિસ્તાનમાં ફરી રાજકીય સંકટના સંકેત? મોહસીન નકવીના નિવેદનોથી વધ્યો સત્તા પરિવર્તનનો ચર્ચા

પાકિસ્તાનમાં ફરી એકવાર રાજકીય હલચલ તેજ બની છે. ગૃહમંત્રી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસીન નકવીના તાજેતરના નિવેદનો બાદ દેશમાં સત્તા પરિવર્તન અને રાજકીય સમીકરણોને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. નકવીએ દેશની વહીવટી વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠાવતા ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. નકવીના આ નિવેદનો બાદ પાકિસ્તાનના રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે કે શું આ માત્ર ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનનો ભાગ છે કે પછી દેશની સત્તા વ્યવસ્થામાં કોઈ મોટા ફેરફારની તૈયારી ચાલી રહી છે. પાકિસ્તાનમાં નકવીએ સરકાર અને સિસ્ટમ પર ઉઠાવ્યા સવાલ પાકિસ્તાન આર્થિક સમિટ દરમિયાન ગૃહમંત્રી મોહસીન નકવીએ દેશની હાલની વહીવટી વ્યવસ્થા અંગે આકરી ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનની જૂની શાસન પદ્ધતિમાં અનેક ખામીઓ છે અને તેને…

ઇસ્લામાબાદમાં શુક્રવારની નમાજ દરમિયાન મોટો વિસ્ફોટ, શહેરમાં કટોકટી જાહેર

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદના તરલાઈ વિસ્તારમાં આવેલી ઇમામ બારગાહ ખાદીજાત-ઉલ-કુબ્રામાં શુક્રવારની નમાજ દરમિયાન એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો છે. વિસ્ફોટની માહિતી મળતાં જ પોલીસ, સુરક્ષા એજન્સીઓ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઇમામ બારગાહ અને આસપાસના વિસ્તારોને સીલ કરી દેવામાં આવ્યા છે અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને અટકાવવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરમાં કટોકટીની સ્થિતિ અધિકારીઓના જણાવ્યા અનુસાર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઇસ્લામાબાદમાં કટોકટી જાહેર કરવામાં આવી છે. હાલ સુધી સત્તાવાર રીતે જાનહાનિની પુષ્ટિ થઈ નથી, પરંતુ પાકિસ્તાની મીડિયા મુજબ અનેક લોકોના મોત અને ઘાયલ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા પાકિસ્તાની મીડિયા આઉટલેટ ડોન ન્યૂઝ અનુસાર, વિસ્ફોટમાં અનેક લોકો ઘાયલ…

ISIનું ગુપ્ત યુનિટ S1: મુખ્ય મથક ઇસ્લામાબાદમાં, ડ્રગ મની દ્વારા આતંકવાદને ભંડોળ પૂરું પાડ્યું

પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI નું ગુપ્ત યુનિટ S1, ભારતમાં આતંકવાદી હુમલાઓમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. આ યુનિટ 1993 ના મુંબઈ બોમ્બ વિસ્ફોટ સહિત અનેક હુમલાઓમાં સામેલ રહ્યું છે. S1 નું મુખ્ય મથક ઇસ્લામાબાદમાં છે અને તે ડ્રગ મની દ્વારા આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ભંડોળ મેળવે છે. આ યુનિટ છેલ્લા 25 વર્ષથી સક્રિય છે અને વિવિધ આતંકવાદી સંગઠનોને તાલીમ આપે છે, પરંતુ તેની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે. અહેવાલ અનુસાર, S1 એટલે “સબવર્ઝન 1” અને પાકિસ્તાનમાં સરહદ પાર આતંકવાદ પાછળ મુખ્ય બળ તરીકે કાર્યરત છે. યુનિટનું નેતૃત્વ પાકિસ્તાની સેનામાંના એક કર્નલ કરે છે, જ્યારે બે વરિષ્ઠ અધિકારીઓ કોડનેમ ગાઝી1 અને ગાઝી2 સક્રિય કામગીરીનું નિરીક્ષણ કરે છે. S1 યુનિટના સભ્યો બોમ્બ અને IED બનાવવામાં નિષ્ણાત છે અને વિવિધ…

પાકિસ્તાન : પરમાણુ બટનથી લઈને તમામ નિર્ણય હવે સેનાના હાથમાં?, અસીમ મુનીર બનશે પાકિસ્તાનના “સુપર પીએમ”

પાકિસ્તાનમાં સૈન્યને વધુ શક્તિ આપવાનો એક ઐતિહાસિક અને વિવાદાસ્પદ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. શાહબાઝ શરીફ સરકાર પાકિસ્તાનના બંધારણમાં 27મો સુધારો (27th Constitutional Amendment) રજૂ કરવાની તૈયારીમાં છે, જેના કારણે આર્મી ચીફ અસીમ મુનીરને દેશનો પ્રથમ “ફિલ્ડ માર્શલ” બનાવવામાં આવશે અને તેમને અમર્યાદિત સત્તાઓ મળશે. આ સુધારો પસાર થયા બાદ, પાકિસ્તાનમાં સૈન્યને પરમાણુ હુમલા સહિતના તમામ વ્યૂહાત્મક અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત નિર્ણયોમાં અંતિમ શબ્દ મળશે એટલે કે, પરમાણુ બટનથી લઈને નીતિ નિર્ણય સુધી સૈન્યનું સંપૂર્ણ નિયંત્રણ રહેશે. ફિલ્ડ માર્શલ પદથી શરૂ થશે “નવો પાકિસ્તાન” સૂત્રો અનુસાર, આ સુધારો 7 નવેમ્બરે સેનેટમાં રજૂ થવાનો છે, અને તે ટૂંક સમયમાં પસાર થવાની શક્યતા છે. નવી જોગવાઈઓ અનુસાર ફિલ્ડ માર્શલ નામનું નવું બંધારણીય પદ બનાવવામાં આવશે, જેનો કાર્યકાળ રાષ્ટ્રપતિ…