દુબઈ પોલીસે એશિયા કપ ફાઇનલને લઈને કડક ગાઈડલાઇન કરી જારી, નિયમો કર્યા કડક
એશિયા કપ 2025 ની ફાઇનલ મેચ 28 સપ્ટેમ્બરના રોજ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે શરૂ થશે, અને બંને ટીમોના કેપ્ટન મેચના બરાબર અડધા કલાક પહેલા ટોસ માટે મેદાનમાં ઉતરશે. આ ફાઇનલ મેચ પહેલા, દુબઈ પોલીસે કેટલીક કડક સુરક્ષા ગાઈડલાઇન જારી કરી છે. સ્ટેડિયમમાં હાજર રહેલા ચાહકોએ ઘણી બાબતોનું ધ્યાન રાખવાની જરૂર પડશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને, દુબઈ પોલીસે સ્ટેડિયમની મુલાકાત લેનારા ચાહકો માટે શું કરવું અને શું ન કરવું તેની ચોક્કસ યાદી જારી કરી છે. દુબઈ પોલીસે તમામ ટિકિટ ધારકોને નિર્ધારિત શરૂઆતના સમયના ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલા સ્ટેડિયમમાં પહોંચવાની સલાહ આપી છે. ચાહકોને પ્રતિ ટિકિટ ફક્ત એક જ વાર મેદાનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં…
પાકિસ્તાનની ફરિયાદ બાદ ICCએ સૂર્યકુમાર યાદવને દોષી ઠેરવ્યો, જાણો આખી વિગત
એશિયા કપ 2025 હવે પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે, અને 28 સપ્ટેમ્બરે થનારી ભારત વિરુદ્ધ પાકિસ્તાનની ફાઈનલ મેચને લઈ આતુરતા બરાબર જોવા મળી રહી છે. પરંતુ, મેચ પહેલાં એક મોટો વિવાદ ઊભો થયો છે. આઈસીસી (ICC) એ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવને દોષી ઠેરવ્યો છે અને તેની મેચ ફીનો 30% દંડ ફટકાર્યો છે. સમગ્ર વિવાદ શું છે? આ વિવાદની શરૂઆત એશિયા કપના ગ્રૂપ સ્ટેજ દરમિયાન થયેલી ભારત-પાકિસ્તાન મેચ પછી થઈ હતી. 14 સપ્ટેમ્બરના રોજ રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને જીત આપી હતી, પરંતુ જીત બાદ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ટીમ સાથે શીષ્ટાચાર મુજબ હાથ મળાવ્યા નહતાં. કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ ટોસ દરમિયાન પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ નહીં મિલાવવાનો નિશ્ચિત નિર્ણય લીધો હતો. પછી મીડિયા સાથે…








