ઇન્ડોનેશિયાના જકાર્તામાં લાગી ભીષણ આગ, 20 લોકોના મોત

હોંગકોંગમાં એક ઈમારતમાં લાગેલી ભયાનક આગમાં 100 થી વધુ લોકોના મોત થયા બાદ, હવે બીજી બહુમાળી ઈમારતમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. મંગળવારે, ઇન્ડોનેશિયાના જકાર્તામાં એક ઓફિસ ઈમારતમાં આગ લાગી હતી, જેમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે એક મીડિયાના અહેવાલ મુજબ, પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે થોડીવારમાં જ આગ આખી ઈમારતને ઘેરી લે છે, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સેન્ટ્રલ જકાર્તા વિસ્તારમાં આગના કારણે રહેવાસીઓ અને કામદારોમાં ગભરાટ ફેલાયો હતો. સેન્ટ્રલ જકાર્તા પોલીસ વડા સુસાત્યો પૂર્ણોમો કોન્ડ્રોએ જણાવ્યું હતું કે મૃતકોમાં પાંચ પુરુષો અને 15 મહિલાઓનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે મૃતકોમાં એક ગર્ભવતી મહિલાનો પણ સમાવેશ થાય છે. સ્થાનિક કોમ્પાસ ટીવી અનુસાર, આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો…