PM મોદી–ટ્રમ્પ વચ્ચે 2025માં 8 વખત વાતચીત, અમેરિકી દાવાને ભારતે નકારી કાઢ્યો

ભારત સરકારે અમેરિકા સાથેના વેપાર કરારને લઈને અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકના નિવેદનને ખોટું અને ભ્રામક ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 2025 દરમિયાન કુલ આઠ વખત વાતચીત થઈ હતી, જ્યારે લુટનિકે દાવો કર્યો હતો કે વેપાર કરાર ન થવાનું કારણ મોદી દ્વારા ટ્રમ્પને ફોન ન કરવો હતું. ભારત સરકારે દાવાને નકારી કાઢ્યો વિદેશ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારને લઈને બંને દેશો ઘણી વખત સમજૂતીની નજીક પહોંચ્યા હતા. આ સોદો પરસ્પર લાભદાયક હોવાનું ભારતે પુનઃવાર સ્પષ્ટ કર્યું છે. ભારતે અમેરિકાના આ દાવાને સાવ ખોટો ગણાવીને કહ્યું કે મોદી અને ટ્રમ્પ વચ્ચે નિયમિત સંવાદ રહ્યો છે. લુટનિકે શું કહ્યું હતું?…

ટ્રમ્પે PM મોદીનાં કર્યા વખાણ, ભારતને ગણાવ્યું ‘મહાન મિત્ર’

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં ટેરિફ વધાર્યા બાદ હવે તેમના વલણમાં નરમાશ દાખવી છે. ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરીને તેમને પોતાના “મહાન મિત્ર” ગણાવ્યું છે. ભારતમાં સ્થિત અમેરિકન દૂતાવાસે એક્સ (સોશિયલ મીડિયા) પર જણાવ્યા અનુસાર, ટ્રમ્પે ભારતને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાનો અત્યંત મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદાર ગણાવ્યો છે. PM મોદીને ‘મહાન મિત્ર’ ગણાવ્યો અમેરિકન દૂતાવાસે લખ્યું છે કે, “ભારત વિશ્વનું સૌથી જૂનું પૌરાણિક સભ્યતાઓમાંથી એક દેશ છે. આ એક અદ્ભુત દેશ છે અને ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં અમેરિકા માટે ખૂબ જ મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદાર છે. અમને વડાપ્રધાન મોદીના રૂપમાં એક મહાન મિત્ર મળ્યો છે.” ટેલિફોનિક વાતચીત બાદ તેજી ટ્રમ્પ અને PM મોદી વચ્ચે તાજેતરમાં ટેલિફોનિક વાતચીત થઇ હતી, જેમાં દ્વિપક્ષીય આર્થિક ભાગીદારી વધારવા અને તેને વેગ આપવા અંગે ચર્ચા…