IAFની તાકાતમાં થશે મોટો વધારો, 60 આધુનિકીકરણ પ્રોજેક્ટ્સ પર કામ; ‘સુપર સુખોઈ’થી AMCA સુધી તૈયારી

ભારતીય વાયુસેના (IAF) પોતાની ઓપરેશનલ ક્ષમતા અને ટેક્નોલોજીકલ તાકાત વધારવા માટે આધુનિકીકરણની દિશામાં મોટા પાયે કામ કરી રહી છે. વાયુસેનાની ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવા માટે આશરે 60 જેટલા આધુનિકીકરણ પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે. આ પ્રોજેક્ટ્સમાં સરકારી સંસ્થા DRDOની સાથે દેશની ખાનગી ડિફેન્સ કંપનીઓની પણ મહત્વપૂર્ણ ભૂમિકા રહેવાની છે. આ આધુનિકીકરણનો મુખ્ય હેતુ માત્ર નવા હથિયારો અને સિસ્ટમો સામેલ કરવાનો નથી, પરંતુ ભારતીય વાયુસેનાને વધુ નેટવર્ક-સેન્ટ્રિક, ટેક્નોલોજી આધારિત અને સ્વદેશી ક્ષમતાઓથી સજ્જ બનાવવાનો છે. આ પ્રક્રિયા દ્વારા ભારતની વિદેશી ડિફેન્સ ટેક્નોલોજી પરની નિર્ભરતા ઘટાડવા અને સ્થાનિક ડિફેન્સ ઉદ્યોગને વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. IAFના 60 પ્રોજેક્ટ્સમાં શું થશે? IAFના આધુનિકીકરણ કાર્યક્રમોમાં અદ્યતન રડાર, એવિઓનિક્સ, ઈલેક્ટ્રોનિક વૉરફેર સિસ્ટમ, સુરક્ષિત કોમ્યુનિકેશન નેટવર્ક,…

દુશ્મનોના શ્વાસ થંભી જશે: 114 ‘રાફેલ’ અને ‘સ્કેલ્પ’ મિસાઈલથી સજ્જ થશે ભારત

ભારતીય આકાશ હવે પહેલાં કરતા વધુ સુરક્ષિત અને અભેદ્ય બનવા જઈ રહ્યું છે. સંરક્ષણ મંત્રાલયની આવતીકાલે યોજાનારી સંરક્ષણ સંપાદન પરિષદની બેઠક ભારતની સૈન્ય શક્તિ માટે માઈલસ્ટોન સાબિત થશે. આ બેઠકમાં 114 મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટ માટેના સોદાને લીલી ઝંડી મળે તેવી પ્રબળ શક્યતા છે, જેમાં ફ્રાન્સના ‘રાફેલ’ સૌથી મજબૂત દાવેદાર છે. વાયુસેના હાલમાં 42 સ્ક્વોડ્રનની જરૂરિયાત સામે માત્ર 29 સ્ક્વોડ્રન સાથે કામ કરી રહી છે, ત્યારે આ મેગા ડીલ ચીન અને પાકિસ્તાન બંને મોરચે ભારતનો હાથ ઉપર રાખશે. સ્કેલ્પ મિસાઈલ: આ સોદાની સૌથી મહત્વની કડી ‘સ્કેલ્પ’ ક્રુઝ મિસાઇલ છે. આ એક એવી ઘાતક મિસાઇલ છે જે દુશ્મનના પ્રદેશમાં સેંકડો કિલોમીટર અંદર ઘૂસીને ચોકસાઈપૂર્વક હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. રાફેલ વિમાન પહેલાથી જ ભારતીય વાયુસેનાનો હિસ્સો હોવાથી, નવા…

IAF લશ્કરી કવાયત: 3-6 ડિસેમ્બર દરમિયાન પાકિસ્તાન સરહદ નજીક એરસ્પેસ રિઝર્વ, NOTAM જારી

ભારતીય વાયુસેનાએ (IAF) 3 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર, 2025 સુધી પાકિસ્તાન સરહદ નજીક દક્ષિણ ક્ષેત્રમાં એક મોટી લશ્કરી કવાયત માટે એરસ્પેસ રિઝર્વ કરવાની જાહેરાત કરી છે. આ માટે નોટમ (NOTAM) જારી કરવામાં આવ્યું છે, જે પાઇલટ્સ, એર ટ્રાફિક કંટ્રોલર્સ અને એરક્રાફ્ટ ઓપરેટર્સ માટે સત્તાવાર સૂચના છે. કવાયતનું વિસ્તાર અને અસર NOTAM અનુસાર, આ એરસ્પેસ રિઝર્વેશન રાજસ્થાનના જોધપુર અને બાડમેર જિલ્લામાં લાગુ પડશે, જે પાકિસ્તાનના રહીમ યાર ખાન અને કરાચી હવાઈ ટ્રાફિક રૂટની નજીક છે. આ પ્રક્રિયા દરમિયાન કરાચી અને રહીમ યાર ખાન હવાઈ રૂટ પર ફ્લાઇટ્સને અસર થઈ શકે છે. કવાયતનો હેતુ આ લશ્કરી કવાયત દરમિયાન ભારતીય વાયુસેનાના ફાઇટર એરક્રાફ્ટ અને સર્વેલન્સ પ્લેટફોર્મ સક્રિય રહેશે. અધિકારીઓએ જણાવ્યું છે કે, આ કવાયત પ્રાદેશિક સુરક્ષા, ઓપરેશનલ તૈયારી અને કૌશલ્ય…