મુર્શિદાબાદમાં ભયાનક ગેસ સિલિન્ડર બ્લાસ્ટ: એક જ પરિવારના 6 લોકો ગંભીર રીતે ઘાયલ, એક બાળકનું કરુણ મોત

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં એક દિલદહોળી દેતી ઘટના બની છે. કાંડી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા રામેશ્વરપુર ગામમાં રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં એક બાળકનું મોત થયું છે અને એક જ પરિવારના 6 સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે. બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે આખું ઘર ધરાશાયી થઈ ગયું અને આજુબાજુના વિસ્તારોમાં ગભરાટ ફેલાઈ ગયો. ઘટનાની વિગતવાર માહિતી બુધવારની સવારે એક પરિવાર ઘરમાં ભોજન તૈયાર કરી રહ્યો હતો, ત્યારે અચાનક ગેસ સિલિન્ડર ફાટ્યો. બ્લાસ્ટ પછી ઘરમાં આગ લાગી ગઈ, જેના કારણે પરિવારના બધા સભ્યો આગની ઝપેટમાં આવી ગયા. આગ લાગતા જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા અને તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી. ફાયર બ્રિગેડની ટીમે કડક મહેનત બાદ આગ પર કાબુ…

દિલ્હી બ્લાસ્ટનું ‘આગ્રા કનેક્શન’: શંકાસ્પદ ડૉ. પરવેઝ અંસારીનો SN મેડિકલ કોલેજ સાથે લાંબો સંબંધ

દિલ્હીમાં 10 નવેમ્બરે લાલ કિલ્લા પાસે થયેલા બોમ્બ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં ૧૨ લોકોના મોત થયા છે. આ મામલાની તપાસમાં હવે એક મોટો ખુલાસો થયો છે. શંકાસ્પદ ડૉક્ટર પરવેઝ અંસારીનો આગ્રાની SN મેડિકલ કોલેજ સાથે ગાઢ સંબંધ હતો. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, ડૉ. અંસારી ઉત્તર પ્રદેશના હુસૈનગંજનો રહેવાસી છે અને તે ફરીદાબાદ આતંકવાદી મોડ્યુલ સાથે સંકળાયેલો હોવાનું માનવામાં આવે છે. તેના આગ્રા જોડાણને કારણે ગુપ્તચર એજન્સીઓએ હવે શહેરમાં હાઇ એલર્ટ જાહેર કર્યો છે. આગ્રાની SN મેડિકલ કોલેજ સાથે જોડાણ સૂત્રો અનુસાર, પરવેઝ અંસારીએ ૨૦૧૫માં SN મેડિકલ કોલેજ, આગ્રાથી MBBS પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ તેણે કોલેજમાં જ ડૉક્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ માત્ર એક વર્ષ પછી, 2016માં તેણે અચાનક નોકરી છોડી દીધી અને શહેર છોડી…

અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાના બે દિવસના રિમાન્ડ મંજુર, જાણો વિગત

રાજકોટના અમિત ખૂંટના આપઘાત કેસમાં વધુ પડકાર ઊભા થયા છે. કોર્ટે પોલીસની વિનંતી મુજબ રાજદીપસિંહ જાડેજા (રીબડા)ને બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન રાજદીપસિંહને કોર્ટમાં નહીં પરંતુ જજના નિવાસસ્થાને રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા કેસની વધુ તપાસ અને પૂછપરછ માટે રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેને કોર્ટે મંજૂર રાખી છે. આ સમયગાળા દરમિયાન પોલીસે અમિત ખૂંટના આપઘાત પાછળના સાચા કારણો, રાજદીપસિંહની સંડોવણી અને અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરશે. જજ સમક્ષ રાજદીપસિંહે દાવો કર્યો કે તેમના નામને ખોટી રીતે કેસમાં સંડોવાયું છે અને તેઓ નિર્દોષ છે. પોલીસ આ કેસમાં ઉમેરાયેલ અન્ય પુરાવાઓ, જેમ કે અમિત ખૂંટે આપઘાત પહેલા લખેલી ચિઠ્ઠી અને અન્ય સાબિતીઓ, પર વધુ તપાસ કરશે. Follow us On…

દ્વારકાધીશ મંદિરની સુરક્ષા કડક: પોલીસ, SOG અને LCBનું સતત પેટ્રોલિંગ, રેલવે સ્ટેશન-બસ સ્ટેન્ડ પર ચેકિંગ શરૂ

દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાતના મુખ્ય યાત્રાધામોમાં સુરક્ષા વધારવામાં આવી છે. ખાસ કરીને દ્વારકાધીશ મંદિરની આસપાસ પોલીસ બંદોબસ્ત વધુ કડક બનાવાયો છે. દ્વારકામાં પોલીસ, SOG અને LCBની ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી છે, સાથે જ શહેરના મહત્વપૂર્ણ સ્થળો — રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર પણ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. દ્વારકા દરિયાકાંઠા પર આવેલું હોવાથી સુરક્ષા દળોએ મરીન પોલીસ અને કોસ્ટગાર્ડને પણ એલર્ટ પર રાખ્યા છે. ઈન્ટેલિજન્સ અને ATS ટીમો પણ સક્રિય થઈ ગઈ છે અને કોઈપણ શંકાસ્પદ વાહન કે વ્યક્તિ પર નજર રાખી રહી છે. સ્થાનિક પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ અભિયાન તેજ કર્યું છે. ખાસ કરીને નંબર પ્લેટ વગરના વાહનો અને કાળા કાચવાળા કાર પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું…

લાલ કિલ્લા બ્લાસ્ટ : જાપાન, ઈરાન, બ્રિટન સહિત વિશ્વભરમાંથી શોક વ્યક્ત

લાલ કિલ્લા પાસે થયેલા ભયાનક કાર વિસ્ફોટે સમગ્ર દેશને હચમચાવી નાખ્યું છે. આ ઘટનામાં અત્યાર સુધી ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે અને અનેક લોકો હજુ પણ હોસ્પિટલમાં જિંદગી માટે લડી રહ્યા છે. દુઃખદ ઘટનાએ સમગ્ર દેશમાં શોકનું માહોલ સર્જી દીધું છે. બીજી તરફ, આ દુઃખની ક્ષણમાં વિશ્વભરના દેશોએ પણ શોક વ્યક્ત કર્યો છે. જાપાન, ઈરાન, આર્જેન્ટિના, બ્રિટન, માલદીવ અને બાંગ્લાદેશ સહિતના દેશોના રાજદૂતોએ ભારતીય લોકોને અને શોકગ્રસ્ત પરિવારોને સાંત્વના આપી છે અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે. જાપાનના રાજદૂત ઓનો કેઇચીએ જણાવ્યું કે, “દિલ્હી વિસ્ફોટમાં થયેલા જાનહાનિથી હું ખૂબ દુઃખી છું. પ્રિયજનો ગુમાવનારા પરિવારો માટે મારી ઊંડી સંવેદના છે અને ઘાયલો માટે પ્રાર્થના કરી રહ્યો છું.” ઈરાની દૂતાવાસે સોશિયલ મીડિયા પર દુઃખ…

હેમા માલિનીએ ધર્મેન્દ્રની હેલ્થ અપડેટ આપી: કહ્યું, ‘પ્રાર્થના કરો…’

ફેમસ એક્ટર ધર્મેન્દ્ર હાલમાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં મેડિકલ ઓબ્જર્વેશન હેઠળ છે. તેમના હેલ્થ વિશે એક્ટ્રેસ અને પત્ની હેમા માલિનીએ ફેન્સને અપડેટ આપી છે. 10 નવેમ્બરના રોજ હેમાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ફેન્સના પ્રાર્થના અને ચિંતાઓ બદલ આભાર વ્યક્ત કર્યો અને પુષ્ટિ આપી કે 89 વર્ષના “હી-મેન” હવે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા છે. હેમા માલિનીએ ધર્મેન્દ્રના મૃત્યુની ચર્ચાઓને નકારી કાઢતા જણાવ્યું કે, એક્ટરને ડોકટરોની દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે. હેમાની પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ, જેના પર ફેન્સ અને સેલિબ્રિટીઓએ ખુશી વ્યક્ત કરી. ધર્મેન્દ્રની તબિયત હેમા માલિનીએ લખ્યું: “હું ધર્મજી પ્રત્યેની ચિંતાઓ બદલ બધાનો આભાર માનું છું. તેઓ હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ છે, અને તેમની નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે.…

દિલ્હી : લાલ કિલ્લા બ્લાસ્ટ બાદ રાષ્ટ્રીય સુરક્ષા કડક, RSS મુખ્યાલય અને હિન્દુ એકતા યાત્રા પર સુરક્ષા વધારાઈ

દિલ્હીમાં સોમવારે સાંજે લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટ બાદ, દેશની રાજધાની અને આસપાસના વિસ્તારોમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને પંજાબમાં પણ સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી દેવામાં આવી છે. વિસ્ફોટ પછી દિલ્હી પોલીસ અને ગુપ્તચર એજન્સીઓએ RSS મુખ્યાલય, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ, વિવિધ કેન્દ્રીય દળોના મુખ્યાલય અને દિલ્હી વિસ્તારમાં આવેલા સંરક્ષણ મથકો પર સુરક્ષા વધારી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બાગેશ્વર ધામના મુખ્ય પૂજારી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના નેતૃત્વમાં યોજાનારી હિન્દુ એકતા યાત્રા માટે પણ સુરક્ષા કડક કરવામાં આવી છે. હરિયાણા પોલીસ અને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ યાત્રા પર નજર રાખી રહી છે. આ યાત્રા 7 ઓક્ટોબરના રોજ છતરપુરથી શરૂ થઈ હતી અને આ અઠવાડિયે વૃંદાવન પહોંચીને સમાપ્ત થવાની છે. વિસ્ફોટ…

દિલ્હી બ્લાસ્ટ પગલે સમગ્રમાં ગુજરાત હાઇ એલર્ટ : અંબાજી, સોમનાથ અને દ્વારકા સહિત અનેક સ્થળો પર સઘન સુરક્ષા

દેશની રાજધાની દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ગંભીર ઘટનાને પગલે ગુજરાત પોલીસે રાજ્યભરમાં હાઇ એલર્ટ જાહેર કરીને સુરક્ષા વ્યવસ્થાને કડક બનાવી દીધી છે. ખાસ કરીને રાજ્યના મહત્વપૂર્ણ ધાર્મિક અને સંવેદનશીલ સ્થળો પર પોલીસ સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ કરી રહી છે. ગુજરાતના મુખ્ય ધાર્મિક સ્થાનો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે, જેમાં અંબાજી, સોમનાથ અને દ્વારકા મુખ્ય છે. અંબાજી, સોમનાથ મંદિરે સુરક્ષા વધારી: શક્તિપીઠ અંબાજી મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી સુરક્ષા બંદોબસ્ત સઘન રીતે વધારવામાં આવ્યો છે. સોમનાથ મંદિરમાં પ્રવેશ કરતા શ્રદ્ધાળુઓ અને તેમના સામાનની ચેકિંગ તદ્દન સખત છે. દ્વારકાધીશ મંદિર અને આસપાસના વિસ્તારોમાં પણ પોલીસના ચેકિંગ પોઈન્ટ્સ ગોઠવવામાં આવ્યા છે. અમદાવાદમાં ભદ્રકાળી મંદિર પાસે સઘન ચેકિંગ: રાજ્યમાં કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ ન થાય…

દિલ્હી બ્લાસ્ટના તાર પુલવામા સુધી પહોંચ્યા : કાર પુલવામાના તારીકને વેચાઇ હોવાનું ખુલાસો, જાણો વિગત

દિલ્હી લાલ કિલ્લા પાસે સોમવારે સાંજે થયેલા ભીષણ કાર વિસ્ફોટ પછી સુરક્ષા એજન્સીઓની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આરંભિક માહિતી અનુસાર, વિસ્ફોટમાં ઉપયોગમાં આવેલ i-20 કાર ઘણી વાર ખરીદવામાં અને વેચવામાં આવી હતી અને છેલ્લે તે પુલવામાના તારીક નામના શખ્સને વેચાઈ હોવાનું સામે આવ્યું છે. વિગતવાર તપાસ અને તપાસમાં મળેલ માહિતી પુલવામામાં રહેતા તારીકને આ કાર વેચાઈ હોવાનો ખુલાસો થતાં સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે. તપાસ મુજબ, ફરિદાબાદમાં આવેલ રોયલ કાર ઝોનમાંથી કાર તારીકને આપવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા હરિયાણાના સલમાન નામના શખ્સની અટકાયત કરી હતી, જે આ i-20 કારનો માલિક હોવાનું બહાર આવ્યું હતું. સલમાનની પૂછપરછમાં એ જાણવા મળ્યું કે કાર બોગસ દસ્તાવેજો વડે ઘણી વખત ખરીદવામાં અને વેચવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ…

દિલ્હી બ્લાસ્ટ અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કરી કામના

દિલ્હી લાલ કિલ્લા પાસે થયેલા ભીષણ વિસ્ફોટ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિસ્થિતિની સમીક્ષા કરી. PM મોદીએ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. આ ઘટનામાં હ્યુન્ડાઇ i20 કારમાં વિસ્ફોટ થયો હતો, જેમાં કેટલાક રાહદારીઓ ઘાયલ થયા અને કેટલાક વાહનોને નુકસાન થયું હતું.   NSG, NIA અને FSL ટીમોએ ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક તપાસ શરૂ કરી છે. ડીપાર્ટમેન્ટે આસપાસના CCTV કેમેરા સ્કેન કરવાનો આદેશ આપ્યો છે અને તમામ શક્યતાઓ પર ધ્યાન આપીને તપાસ ચાલી રહી છે. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ દુઃખ વ્યક્ત કર્યું અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી. અધિકારીઓ અસરગ્રસ્ત લોકોને મદદ કરી રહ્યા છે, અને સમગ્ર ઘટનાની સમગ્રપણે તપાસ થતી રહે છે.…