અલ-ફલાહ યુનિવર્સિટી: 200થી વધુ કર્મચારીઓ એજન્સીની તપાસ હેઠળ, પોલીસ તપાસનો ધમધમાટ

દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટના કેસમાં તપાસનો ધમધમાટ હવે ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટી સુધી પહોંચ્યો છે. અહેવાલો મુજબ, યુનિવર્સિટીના 200થી વધુ ડોક્ટરો, લેક્ચરર્સ અને સ્ટાફ સભ્યો હવે એજન્સીઓના રડાર પર છે. તપાસ એજન્સીઓએ એક વ્હાઇટ-કોલર આતંકી મોડ્યુલના ખુલાસા બાદ યુનિવર્સિટીના સ્ટાફના લોકર અને બહાર રહેતા વિદ્યાર્થીઓના રૂમની પણ તપાસ શરૂ કરી દીધી છે. અત્યાર સુધીમાં 1,000થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી છે. એજન્સીઓ દ્વારા તપાસના મુખ્ય મુદ્દા – યુનિવર્સિટીની અંદર કોઈ હેન્ડલર હાજર હતો કે નહીં તે શોધી રહી છે. – આત્મઘાતી બોમ્બર ડૉ. ઉમર ઉન નબીને વિશેષ સુવિધાઓ આપવામાં આવી હતી. – યુનિવર્સિટીમાં રહેતા અન્ય સાત લોકો સાથે ઉમરના સંબંધો અંગે પણ તપાસ ચાલી રહી છે. – નૂહમાં ડૉ. ઉમર ઉન નબીને રૂમ…

લુધિયાણા એન્કાઉન્ટર: બબ્બર ખાલસા સાથે જોડાયેલા 2 આતંકીઓ ઢેર, ભારે માત્રામાં શસ્ત્રો જપ્ત

પંજાબના લુધિયાણામાં આજે વહેલી સવારે મોટો સુરક્ષા ઓપરેશન હાથ ધરવામાં આવ્યો હતો. દિલ્હી–અમૃતસર નેશનલ હાઈવે નજીક લાડોવાલ ટોલ પ્લાઝા પાસે પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં બે આતંકીઓના મોત થયાની પુષ્ટિ થઈ છે. બંને આતંકીઓ ખાલિસ્તાન સમર્થક સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે. બે આતંકીઓ ઢેર માહિતી મુજબ, એક દિવસ પહેલા પોલીસે કેટલાક શંકાસ્પદ લોકોને હેન્ડ ગ્રેનેડ સાથે પકડ્યા હતા. તેમની પૂછપરછમાં બે મુખ્ય આતંકીઓની ઓળખ મળી હતી, જેના આધારે પોલીસને તેમને પકડવા માટે ઓપરેશન ગોઠવ્યું હતું. જ્યારે પોલીસે ઘેરાવ કર્યો ત્યારે આતંકીઓએ અચાનક ગોળીબાર શરૂ કર્યો, જેના જવાબમાં પોલીસે પણ ફાયરિંગ કર્યું. અથડામણ દરમિયાન બંને આતંકીઓ ગંભીર રીતે ઘાયલ થયા અને બાદમાં તેમનું મોત થયું. BKI અને ISI સાથે કનેક્શન:…

દિલ્હી બ્લાસ્ટ કેસ: 4 આરોપીઓને NIA કોર્ટએ 10 દિવસના રિમાન્ડ પર મોકલ્યા, જુઓ વીડિયો

દિલ્હીના લાલ કિલ્લા કાર બ્લાસ્ટ કેસની તપાસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ વધુ એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. એજન્સીએ તાજેતરમાં શ્રીનગરમાંથી 4 નવા આરોપીઓની ધરપકડ કરી હતી, જેને આજે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પટિયાલા હાઉસ કોર્ટએ ડૉ. મુઝમ્મિલ, આદિલ, શાહીન અને મૌલવી ઇરફાનને 10 દિવસની NIA કસ્ટડી મંજૂર કરી છે, જેથી તેમને વધુ પૂછપરછ કરી શકાય. હુમલાના આયોજનમાં મુખ્ય ભૂમિકા NIA તપાસ મુજબ, આ ચારેય આરોપીઓએ લાલ કિલ્લા કાર વિસ્ફોટની યોજનામાંથી લઈને અમલ સુધી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ હુમલામાં અનેક નિર્દોષ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતાં, જેના કારણે દેશવ્યાપી ચિંતા ફેલાઈ હતી. એજન્સીએ અગાઉ અમીર રાશિદ અલી અને જસીર બિલાલ વાની ઉર્ફે દાનિશને પણ ધરપકડ કરી હતી.…

કર્ણાટક સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: રખડતા શ્વાનના હુમલામાં મૃત્યુ થાય તો પરિવારને ₹5 લાખનું વળતર

કર્ણાટકમાં વધી રહેલા રખડતા શ્વાનોના હુમલાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે માનવતાપૂર્વકનો મોટો નિર્ણય કર્યો છે. હવે રાજ્યમાં રખડતા શ્વાન કરડવાથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય, તો મૃતકના પરિવારને કર્ણાટક સરકાર તરફથી ₹5 લાખનું વળતર આપવામાં આવશે. આ મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય કેબિનેટની તાજેતરની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યો હતો. શહેરી વિકાસ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, રખડતા ઢોર અને શ્વાનોની સમસ્યાનો સ્થાયી ઉકેલ લાવવા સરકાર વિવિધ પગલાં લઈ રહી છે. પરંતુ અકસ્માતની ઘટનામાં પીડિત પરિવારોને આર્થિક સુરક્ષા પૂરી મળે તે હેતુથી આ નવી વળતર નીતિ અમલમાં મૂકી છે. ઈજાઓ માટે પણ સહાયની જાહેરાત – મૃત્યુની સાથે–સાથે શ્વાન કરડવાથી થતા ઈજાઓ માટે પણ સરકાર દ્વારા વળતરની વ્યવસ્થા કરવામાં આવી છે. નવી નીતિ મુજબ: – જો વ્યક્તિને રખડતા શ્વાન કરડે અને…

PM મોદી ફરી બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં પ્રથમ સ્થાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સતત વધી રહી છે અને હવે ફરી એક વાર તેઓ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે નંબર–વન પર પહોંચ્યા છે. મોર્નિંગ કન્સલ્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી નવીનતમ ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં PM મોદીએ પ્રથમ સ્થાન હાસલ કર્યું છે. આ રેટિંગ 6 થી 12 નવેમ્બર 2025 દરમિયાન એકત્રિત કરાયેલા ડેટા પર આધારિત છે. PM મોદીનો Approval Rating – 71% આ સર્વે દેશના પુખ્ત વયના નાગરિકોમાં કરાયેલી મંજૂરીનો 7 દિવસનો મૂવિંગ એવરેજ દર્શાવે છે. PM મોદીને 71% લોકોની મંજૂરી મળી છે, જે અન્ય તમામ વિશ્વના ટોચના નેતાઓથી વધુ છે. ટોચના 10 વિશ્વ નેતાઓની યાદી – નરેન્દ્ર મોદી (ભારત) – 71% – સના તાકાઈચી (જાપાન) – 63% – લી જે મ્યુંગ (દક્ષિણ કોરિયા) – 58% –…

મની ટ્રેડિંગ કરનારા લોકોને RBIની મોટી ચેતવણી, 7 નવી કંપનીઓ અને વેબસાઇટ્સ એલર્ટ લિસ્ટમાં ઉમેરાઈ

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ મની ટ્રેડિંગમાં જોડાયેલા લોકો માટે મહત્વપૂર્ણ ચેતવણી આપી છે. RBIએ 7 નવી કંપનીઓ અને તેમની વેબસાઇટ્સને અનરજિસ્ટર્ડ ફોરેન કરન્સી ટ્રેડિંગ પ્લેટફોર્મની ચેતવણી યાદીમાં ઉમેર્યા છે. લોકોની સલામતી માટે RBIએ એલર્ટ લિસ્ટમાં રહેલી કંપનીઓ સાથે કોઈપણ વેપાર કરવા નહી કરવાની સૂચના આપી છે. નવી ઉમેરેલી કંપનીઓમાં સામેલ છે: – સ્ટારનેટ એફએક્સ – www.starnetfx.com – કેપ્લેસ – www.capplace.com – મિરોક્સ – www.mirrox.com – ફ્યુઝન માર્કેટ્સ – www.fusionmarkets.com – ટ્રાઇવ – www.trive.com – NXG માર્કેટ્સ – www.nxgmarkets.com – નોર્ડ એફએક્સ – www.nordfx.com RBIએ જણાવ્યું છે કે આ પ્લેટફોર્મ વિદેશી ચલણના વ્યવહારો માટે નોંધાયેલ નથી અને ફક્ત ગેરકાયદેસર કામગીરી કરે છે. સેન્ટ્રલ બેંક ગ્રાહકોને સતત ચેતવણી આપી રહી છે કે ફક્ત RBI-રજિસ્ટર્ડ ડીલરો સાથે જ…

IAFએ ઇતિહાસ રચ્યો: મ્યાનમારમાં કૌભાંડના શિકાર બનેલા કુલ 1,500 લોકોને સફળ મુક્ત કરાયા, જાણો વિગત

ભારતીય વાયુસેના (IAF) એ ફરી એક વખત પ્રશંસનીય કામગીરી કરતા થાઇલેન્ડના માએ સોટ વિસ્તારથી 125 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે ભારત પરત મોકલ્યા. મ્યાનમારના માયાવાડી વિસ્તારમાં ફેલાયેલા નોકરી કૌભાંડના જાળમાં ફસાયેલા ભારતીયોને મુક્ત કરવા માટે ભારત દ્વારા સતત પ્રયત્નો ચાલુ છે. માર્ચ 2024થી અત્યાર સુધીમાં કુલ 1,500 ભારતીયોને બચાવવામાં આવ્યા છે. ભારત સરકારના માર્ગદર્શનમાં બેંગકોક સ્થિત ભારતીય દૂતાવાસ અને ચિયાંગ માઇના કોન્સ્યુલેટે, થાઇલેન્ડની વિવિધ સરકારી એજન્સીઓ સાથે મળીને, આ ફસાયેલા ભારતીયોને માનવતાવાદી આધાર પર સ્વદેશ પરત લાવવા મદદરૂપ બન્યા છે. દૂતાવાસની કડક ચેતવણી દૂતાવાસે તમામ ભારતીયોને ખાસ ચેતવણી આપી છે કે “વિદેશમાં નોકરી માટે જતા પહેલા કંપની અને એજન્ટોની સઘન તપાસ કરવી જરૂરી છે. થાઇલેન્ડમાં વિઝા-મુક્ત પ્રવેશ માત્ર પર્યટન અને નાના વ્યવસાય માટે માન્ય છે, રોજગાર માટે…

દિલ્હી બ્લાસ્ટ: આત્મઘાતી હુમલાખોરના ફોનમાંથી મળ્યો શહીદી અભિયાનનો વીડિયો

પોલીસને કાર બોમ્બ વિસ્ફોટ કરનાર આત્મઘાતી હુમલાખોર ડૉ. ઓમર નબીના મોબાઇલમાંથી આત્મઘાતી હુમલાઓનું મહિમા કરતો વીડિયો મળ્યો છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે ઓમરના ફોનને જપ્ત કરી ફોરેન્સિક તપાસ હાથ ધરી છે. તપાસમાં સામે આવ્યું છે કે ઓમરે આત્મઘાતી હુમલાઓને ધર્મમાં સૌથી પ્રશંસનીય કર્મ ગણતો હતો અને આવા કૃત્યોને શહીદી અભિયાન માનતો હતો. એક બે મિનિટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં ઓમર ખુરશી પર બેઠો પોતાની વિચારધારા વ્યક્ત કરે છે. ઓમરના ભાઈ ઝહૂર ઈલાહીની અટકાયત બાદ આ મહત્વપૂર્ણ પુરાવા સામે આવ્યો. ફ્લોન ફેંકી દેવામાં આવ્યો હતો, પરંતુ ફોરેન્સિક નિષ્ણાતો મહત્વપૂર્ણ માહિતી પુનઃપ્રાપ્ત કરવામાં સફળ રહ્યા. તપાસ અનુસાર, ઓમર ઇસ્લામિક સ્ટેટ (IS) અને અલ-કાયદા દ્વારા બનાવેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટના કટ્ટરપંથી વીડિયો જોતો હતો અને તેના…

ભારતનો વિકાસ રોકવો અશક્ય: GDP 7.5% વૃદ્ધિ સાથે અર્થતંત્ર પર ચાર ચાંદ લગશે, SBI રિપોર્ટમાં દાવો

ભારતનું અર્થતંત્ર આ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં 7.5 ટકા અથવા તેથી વધુ દરે વૃદ્ધિ પામશે, એવું SBI રિસર્ચના તાજા અહેવાલમાં કહેવામાં આવ્યું છે. આ વૃદ્ધિ મુખ્યત્વે સપ્ટેમ્બર અંતે GST દરમાં ઘટાડો અને તહેવારોની મોસમમાં વેચાણમાં વધારોના કારણે શક્ય બની રહી છે. અહેવાલ અનુસાર, રોકાણ પ્રવૃત્તિમાં વધારો, ગ્રામીણ વપરાશમાં સુધારો, અને સેવાઓ તેમજ ઉત્પાદન ક્ષેત્રોમાં ઝડપથી વૃદ્ધિ આ ઉંચી GDP વૃદ્ધિને ટેકો આપી રહી છે. GSTના માળખાકીય સુધારાઓએ પણ સ્થાનિક માંગને મજબૂત બનાવવામાં મદદ કરી છે. મુખ્ય આંકડા અને અનુમાન SBIના અહેવાલ મુજબ, બીજા ક્વાર્ટરના મુખ્ય અર્થશાસ્ત્રીય સૂચકાંકો 83% વધ્યા છે, જ્યારે પહેલા ક્વાર્ટરમાં આ દર 70% હતો. નાણાકીય વર્ષ 2025-26ના બીજા ક્વાર્ટરમાં વાસ્તવિક GDP વૃદ્ધિ સંબંધિત મોડેલ અનુસાર 7.5% હોવાની અપેક્ષા છે. ભારતીય રિઝર્વ બેંકે બીજા…

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: જૂના વાહનોની ફિટનેસ ટેસ્ટ ફીમાં 10 ગણા સુધીનો વધારો, વાહનચાલકોને મોટો ઝટકો

કેન્દ્ર સરકારે સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સમાં મહત્વપૂર્ણ સુધારો કરીને દેશભરના જૂના વાહનોના ફિટનેસ ટેસ્ટ ફીમાં 10 ગણા સુધીનો જંગી વધારો કર્યો છે. આ નવા નિયમો તાત્કાલિક અસરથી લાગુ થયા છે. સરકાર અનુસાર, આ પગલું જૂના અને અસુરક્ષિત વાહનોને રસ્તાઓ પરથી દૂર કરવા તથા વ્હીકલ સ્ક્રેપેજ નીતિને ટેકો આપવા માટે લેવામાં આવ્યું છે. નિયમોમાં મોટો ફેરફાર: 15 વર્ષથી 10 વર્ષ સુધી વય મર્યાદા ઓછું નવા સુધારામાં સરકારે ઉંમરની મર્યાદા 15 વર્ષથી ઘટાડીને 10 વર્ષ કરી છે. વાહનોની ઉંમર પર આધારિત ત્રણ નવી કેટેગરી બનાવવામાં આવી છે: – 10–15 વર્ષના વાહનો – 15–20 વર્ષના વાહનો – 20 વર્ષથી વધુ જૂના વાહનો વાહન જેટલું જૂનું—ફીટનેસ ફી એટલી વધુ. 20 વર્ષથી વધુ જૂના વાહનો માટે સૌથી મોટો વધારો ફિટનેસ ફીમાં…