માઇક્રોસોફ્ટ કરશે 1.5 લાખ કરોડનું રોકાણ, સત્ય નડેલાનો ઐતિહાસિક નિર્ણય

ભારતના ડિજિટલ ભવિષ્ય માટે એક મહત્ત્વપૂર્ણ દિવસ. ટેક જગતની વૈશ્વિક મહાશક્તિ માઇક્રોસોફ્ટે ભારતમાં અત્યાર સુધીનું સૌથી મોટું નાણાકીય રોકાણ કરવાની જાહેરાત કરી છે. કંપનીના CEO સત્ય નડેલાએ જણાવ્યું છે કે માઇક્રોસોફ્ટ ભારતમાં 1.5 લાખ કરોડ રૂપિયા (લગભગ 17.5 બિલિયન ડોલર)નું રોકાણ કરશે. આ માહિતી તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે નવી દિલ્હીમાં થયેલી મુલાકાત બાદ આપી. AI ઇકોસિસ્ટમને વેગ આપવા માટે માઇક્રોસોફ્ટનો ઐતિહાસિક નિર્ણય સત્ય નડેલાએ જણાવ્યું કે ભારત AIના ક્ષેત્રમાં અસીમ સંભાવનાઓ ધરાવે છે અને માઇક્રોસોફ્ટ ભારતને “AI-પાવર્ડ ફ્યુચર” તરફ લઇ જવા માટે પ્રતિબદ્ધ છે. નડેલાએ લખ્યું “ભારતના AI અવસરો પર PM મોદી સાથે પ્રેરણાદાયક ચર્ચા. માઇક્રોસોફ્ટ એશિયામાં અત્યાર સુધીનું સૌથી મોટું — 17.5 બિલિયન ડોલરનું રોકાણ ભારત માટે કરશે.” આ રોકાણ ભારતના AI First Vision…

GDP આંકડાઓ પર PM મોદીનો સ્પષ્ટ સંદેશ, કહ્યું ‘દુનિયા મંદી વિશે કરે છે વાત, પરંતુ….’

વૈશ્વિક આર્થિક મંદી અને અનિશ્ચિતતાઓ વચ્ચે ભારત વિકાસના નવા માપદંડ સ્થાપિત કરી રહ્યું છે, એવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં જણાવ્યું. PM મોદીએ કહ્યું કે દુનિયા જ્યાં વૃદ્ધિ ઘટાડાની ચિંતામાં છે, ત્યાં ભારત 8% થી વધુ GDP વૃદ્ધિ દર સાથે સ્થિરતા અને વિશ્વાસના મજબૂત સ્તંભ તરીકે ઉજાગર થયું છે. લાંબા ગાળાના રિફોર્મ પર ભાર PM મોદી મુજબ આજે ભારતની નીતિઓ પ્રતિક્રિયાશીલ નહીં પરંતુ લાંબા ગાળાના વિકાસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહી છે. તેમણે આગામી પેઢીના GST, ₹12 લાખ સુધીની આવક પર શૂન્ય કર, નાના ઉદ્યોગોની વ્યાખ્યામાં સુધારણા અને ઘણા ઉત્પાદનોને ફરજિયાત ગુણવત્તા નિયંત્રણમાંથી મુક્તિ જેવા પગલાંને દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યા. ‘ગુલામી માનસિકતા’માંથી મુક્ત થવાની અપીલ વડા પ્રધાને પોતાના ભાષણમાં કહ્યું કે બ્રિટિશ…

ટ્રમ્પના ટેરિફની અસર ભારત પર નહીં!, IMF અને વર્લ્ડ બેંકે વધારો કર્યો ભારતના વિકાસ દરમાં

વિશ્વભરમાં વધતા ટેરિફ અને આર્થિક દબાણ વચ્ચે પણ ભારતનો વિકાસ દર મજબૂત ગતિથી આગળ વધી રહ્યો છે. અમેરિકા દ્વારા 50% ટેરિફ લાદ્યા બાદ પણ, IMF (International Monetary Fund) અને વિશ્વ બેંક (World Bank) બંનેએ ભારત માટે વિકાસ દરમાં વધારો દર્શાવ્યો છે. IMFએ શું કહ્યું? IMFએ નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતના GDP વૃદ્ધિ દરનો અંદાજ 6.6% કર્યો છે, જે અગાઉ 6.4% હતો. આ વધારો ભારતના મજબૂત પહેલા ત્રિમાસિક પ્રદર્શન અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓમાં ભારતની સ્થિરતાને ધ્યાનમાં રાખીને કરાયો છે. જોકે, 2026-27 માટે આ સંસ્થા ભારતનો વૃદ્ધિ દર થોડો ઘટાડી 6.2% કર્યો છે. વિશ્વ બેંકનું અનુમાન: ગયા અઠવાડિયે વિશ્વ બેંકે પણ ભારત માટે 2025-26 માટે વૃદ્ધિ દર 6.5% કર્યો છે (પહેલા 6.3%). પરંતુ તેણે આગામી વર્ષ માટે આ દર…