બજેટમાં જામનગરને મળી મોટી ભેટ, આયુર્વેદિક મેડિકલ સેન્ટરનું એલાન; દરેક જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનશે

કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સતત નવમી વખત યુનિયન બજેટ રજૂ કર્યું, જેમાં વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, શિક્ષણ અને ટેક્નોલોજી ક્ષેત્રે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. આ બજેટમાં ખાસ કરીને ગુજરાતના જામનગર માટે કરવામાં આવેલી જાહેરાતે સૌનું ધ્યાન ખેંચ્યું છે. જામનગર માટે ખાસ જાહેરાત બજેટમાં નાણામંત્રીએ જાહેરાત કરી કે જામનગરમાં એક વિશાળ આયુર્વેદિક મેડિકલ સેન્ટર સ્થાપવામાં આવશે. આ સેન્ટર માત્ર સારવાર પૂરતું સીમિત નહીં રહે, પરંતુ આયુર્વેદિક સંશોધન, શિક્ષણ અને દવાઓના વિકાસ માટે રાષ્ટ્રીય સ્તરનું હબ બનશે. સરકારનું માનવું છે કે જામનગર પહેલેથી જ આયુર્વેદ અને પરંપરાગત ચિકિત્સા માટે ઓળખાય છે, તેથી આ પ્રોજેક્ટ સમગ્ર દેશ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આ સાથે જ દેશમાં ત્રણ નવી આયુર્વેદિક AIIMS સ્થાપવાની પણ જાહેરાત કરવામાં આવી છે, જે આયુર્વેદિક…

યુનિયન બજેટ 2026: 1લી એપ્રિલથી નવો ઇન્કમટેક્સ એક્ટ લાગુ, નાના કરદાતાઓને મોટી રાહત

કેન્દ્ર સરકાર દ્વારા રજૂ થયેલા યુનિયન બજેટ 2026માં કરદાતાઓ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. 1લી એપ્રિલ 2026થી દેશમાં નવો ઇન્કમટેક્સ એક્ટ અમલમાં આવશે, જેના કારણે ખાસ કરીને નાના અને મધ્યમ કરદાતાઓને મોટી રાહત મળશે. નવા કાયદા હેઠળ કરદાતાઓ હવે નોમિનલ ફી ચૂકવીને ઇન્કમટેક્સ રિટર્ન (ITR) રિવાઇઝ કરી શકશે. અત્યાર સુધી રિટર્નમાં ભૂલ થઈ જાય તો કરદાતાઓને મુશ્કેલી પડતી હતી, પરંતુ હવે આ પ્રક્રિયા વધુ સરળ બનશે. બજેટમાં વધુ એક મહત્વની જાહેરાત મુજબ ITR-1 અને ITR-2 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ સુધી રહેશે. આ નિર્ણયથી પગારધારક અને નાના કરદાતાઓને પૂરતો સમય મળશે અને રિટર્ન ભરવામાં થતી દોડધામ ઘટશે. નાના કરદાતાઓ માટે ખાસ રાહતરૂપે વન ટાઇમ ફોરેન એસેટ ડિસ્ક્લોઝર સ્કીમ પણ જાહેર કરવામાં આવી છે. જે…