બાંગ્લાદેશના PM તારિક રહેમાનની ભારત મુલાકાત પર સસ્પેન્સ યથાવત: આમંત્રણ છતાં શેખ હસીનાનો મુદ્દો બન્યો અડચણ
બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાનની સંભવિત ભારત મુલાકાતને લઈને હજુ પણ અનિશ્ચિતતા યથાવત છે. ભારત તરફથી દ્વિપક્ષીય મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું છે અને નવી દિલ્હીમાં યોજાનારી BRICS સમિટના આઉટરીચ સત્રમાં હાજરી આપવા માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે, 21 ઓગસ્ટ સુધી બાંગ્લાદેશ સરકારે મુલાકાતની સત્તાવાર પુષ્ટિ કરી નથી. ઢાકાનું કહેવું છે કે ભારત તરફથી શેખ હસીના સહિત અન્ય ફરાર આરોપીઓના પ્રત્યાર્પણ અંગેની વિનંતી પર જવાબની રાહ જોવામાં આવી રહી છે. આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે 2024માં શેખ હસીનાની સરકારના પતન બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં તણાવ વધ્યો છે. તારિક રહેમાનની સરકાર સત્તામાં આવ્યા બાદ ભારત સાથે સંબંધો સુધારવાની વાત કરી રહી છે, પરંતુ શેખ હસીનાના પ્રત્યાર્પણનો મુદ્દો બંને દેશો વચ્ચે સૌથી…






