જાણો શું છે સિંધુ જળ સંધિ, ભારતના નિર્ણયથી પાકિસ્તાનને કેમ લાગશે મોટો ફટકો?

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે એક મોટો અને કઠોર નિર્ણય લીધો છે. સરકારે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ હાલ પૂરતી અટકાવી દેવાનો નિર્ણય લીધો છે. બુધવાર, 23 એપ્રિલના રોજ સાંજે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) ની બેઠક યોજાઈ હતી, જેમાં ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને વિદેશ પ્રધાન એસ. જયશંકર પણ હાજર રહ્યા હતા. આના થોડા સમય પછી, વિદેશ મંત્રાલયે એક બ્રીફિંગમાં માહિતી આપી કે ભારત સરકારે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ પર રોક લગાવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી પાકિસ્તાનને અત્યાર સુધીનો સૌથી મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરીને આ નિર્ણય લીધો છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું…