India vs England: રોહિત શર્મા માત્ર 1 રન બનાવીને આઉટ થયો, ટોસ જીત્યા બાદ ઇંગ્લેન્ડે ભારતને સોંપી છે બેટિંગ

B INDIA અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમાઈ રહી છે. ટોસ હાર્યા બાદ, ભારતીય ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરી રહી છે. ભારતને મેચના સાતમા બોલ પર રોહિત શર્માના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો છે, જે ફક્ત 1 રન બનાવીને આઉટ થયો છે. માર્ક વુડે રોહિત શર્માને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. શુભમન ગિલ અને વિરાટ કોહલીની જોડી હાલમાં ક્રીઝ પર હાજર છે. આપને જણાવી દઈએ કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત સામેની શ્રેણીની ત્રીજી વનડેમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ દરમિયાન કહ્યું કે ટીમ ઈન્ડિયાએ ત્રણ ફેરફારો સાથે મેચમાં પ્રવેશ કર્યો છે. મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજાને…