India vs England: રોહિત શર્મા માત્ર 1 રન બનાવીને આઉટ થયો, ટોસ જીત્યા બાદ ઇંગ્લેન્ડે ભારતને સોંપી છે બેટિંગ

B INDIA અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમાઈ રહી છે. ટોસ હાર્યા બાદ, ભારતીય ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરી રહી છે. ભારતને મેચના સાતમા બોલ પર રોહિત શર્માના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો છે, જે ફક્ત 1 રન બનાવીને આઉટ થયો છે. માર્ક વુડે રોહિત શર્માને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. શુભમન ગિલ અને વિરાટ કોહલીની જોડી હાલમાં ક્રીઝ પર હાજર છે.

આપને જણાવી દઈએ કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત સામેની શ્રેણીની ત્રીજી વનડેમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ દરમિયાન કહ્યું કે ટીમ ઈન્ડિયાએ ત્રણ ફેરફારો સાથે મેચમાં પ્રવેશ કર્યો છે. મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજાને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે વરુણ ચક્રવર્તી ઈજાગ્રસ્ત છે. આવી સ્થિતિમાં વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ અને અર્શદીપ સિંહને ટીમમાં તક આપવામાં આવી છે.

ભારતીય ટીમ હાલમાં શ્રેણીમાં 2-0થી આગળ છે અને તેની નજર આજે અમદાવાદમાં જીતીને ક્લીન સ્વીપ હાંસલ કરવા પર રહેશે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા આ ભારતની છેલ્લી વનડે મેચ છે. આવી સ્થિતિમાં, બંને ટીમો જીત સાથે ચેમ્પિયન્સ ટ્રોફીમાં જવાનો પ્રયાસ કરશે.

Related Posts

મોરબીમાં ડબલ મર્ડરથી ચકચાર: જમીન માપણીના વિવાદમાં કાકા-ભત્રીજાની ચકચારી હત્યા

મોરબી જિલ્લાના મેઘપર ઝાલા ગામમાં જમીન માપણીના વિવાદને લઈને ડબલ મર્ડરની ચકચારી ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, જમીન સંબંધિત વિવાદ ઉગ્ર બનતા કાકા અને ભત્રીજાની હત્યા કરવામાં આવી…

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ વરસતા ગરમીથી મળી રાહત

છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત દક્ષિણ ગુજરાતના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે નવસારી અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *