વિધાનસભા ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની મોટી જાહેરાત, રાજ્યમાં આ સુવિધાઓ વધારવામાં આવશે
વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ઋષિકેશ પટેલે આરોગ્ય સુવિધાઓમાં મોટા સુધારા અંગે મહત્વની જાહેરાતો કરી હતી. તેમણે જણાવ્યું કે, 2025-26ના બજેટમાં આરોગ્ય વિભાગ માટે 16.35% નો વધારો કરવામાં આવ્યો છે. જે માટે કુલ ₹23,385.33 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મંત્રીએ જાહેર કર્યું કે અમદાવાદ સિવિલ મેડિસિટીમાં ન્યુરોલોજીકલ સાયન્સની સ્વાયતત સંસ્થા સ્થાપિત કરવામાં આવશે. આ સંસ્થા મગજ અને નર્વસ સિસ્ટમના રોગો માટે નવીન સારવાર, તેમજ ઉચ્ચ-ગુણવત્તાવાળા શિક્ષણ અને તાલીમ માટે સહાયરૂપ બનશે. સાથે જ આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે ભવિષ્યમાં આ સંસ્થા સંપૂર્ણપણે કાર્યરત થયા બાદ અન્ય વિસ્તારોમાં પણ સેટેલાઈટ સેન્ટરો શરૂ કરાશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે પોરબંદર, હિંમતનગર, વલસાડ અને ગોધરા ખાતે નવા રેડિયોથેરાપી સેન્ટરો શરૂ કરાશે, જે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, અમદાવાદ દ્વારા સંચાલિત…
ભારતમાં HMPVના કેસમાં વધારો, મુંબઇમાં 6 માસની બાળકીમાં સંક્રમણ, કુલ કેસનો આંક 8 પર પહોંચ્યો
ચીન બાદ ભારતમાં પણ હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)ના આગમનને કારણે ચિંતા વધવા લાગી છે. હવે મુંબઈમાં એક નવો મામલો સામે આવ્યો છે. હિરાનંદાની હૉસ્પિટલ, પવઈ, મુંબઈમાં છ મહિનાની બાળકીમાં HMPV સંક્રમણ જોવા મળ્યું છે. , ભારતમાં અત્યાર સુધીમાં કુલ 8 કેસ નોંધાયા છે. બેંગલુરુ, નાગપુર અને તમિલનાડુમાં બે-બે અને અમદાવાદ અને મુંબઈમાં એક-એક કેસ નોંધાયા છે. -> કોવિડ-19 જેવો વાયરસ નથી :- ચીનમાં આ વાયરસના ચેપને લગતા કેસ વધવાને કારણે ભારતમાં પણ લોકો ભયભીત થવા લાગ્યા છે. કેટલાક લોકોએ આ રોગની તુલના કોવિડ-19 સાથે કરવાનું શરૂ કર્યું, ત્યારબાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું કે HMPV નવો વાયરસ નથી. તેમણે કહ્યું કે તેની ઓળખ સૌપ્રથમ વર્ષ 2001માં થઈ હતી અને તે વર્ષોથી સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો છે.…









