શિયાળામાં એડી ફાટવાની સમસ્યાથી પરેશાન છો? તો અપનાવો આ ઘરગથ્થુ નુસખા

શિયાળાની શરૂઆત થતાં જ સ્કિન સંબંધિત અનેક સમસ્યાઓ જોવા મળે છે. ઠંડીના કારણે ત્વચા વધારે ડ્રાય બની જાય છે, હોઠ ફાટી જાય છે અને ખાસ કરીને એડી ફાટવાની સમસ્યા ઘણા લોકોને સતાવે છે. ફાટેલી એડી માત્ર દેખાવમાં ખરાબ લાગે છે એવું નહીં, પણ ચાલવામાં દુખાવો પણ આપે છે. માર્કેટમાં ઉપલબ્ધ અનેક ક્રિમ અને લોશન હોવા છતાં ઘણી વાર ઇચ્છિત પરિણામ મળતું નથી. આવી સ્થિતિમાં ઘરગથ્થુ નુસખા ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. અપનાવો આ સરળ ટિપ્સ પગને નવસેકું પાણી આપો: રાત્રે સૂતા પહેલા નવસેકું પાણી લો, તેમાં થોડું લીંબુ અને થોડો શેમ્પુ ઉમેરો. આ પાણીમાં 10–15 મિનિટ સુધી પગ પલાળી રાખો. આવું કરવાથી એડીની કઠણ ત્વચા નરમ બને છે. વેસેલિન અને મોજાનો ઉપયોગ: પગ ધોઈને સારી…

ચરબી ઓગાળવા પાણી માં મધ સાથે આ એક વસ્તુ નાખીને પીવો, જાણો આ વસ્તુ વિષે?

જો તમે માનો છો કે માત્ર કસરતથી જ વજન ઘટાડી શકાય છે, તો હવે સમય છે એ વિચારોને બદલવાનો. વજન ઘટાડવા માટે યોગ્ય ડાયટ અને પોષક તત્વોવાળી કુદરતી રેમેડીઝ પણ એટલી જ મહત્વપૂર્ણ છે. તેમા મધ અને કાળા મરીવાળું પાણી. દાદી-નાનીના નુસખામાં ગણાતા આ ઉપાયથી ન માત્ર વજન ઘટાડવામાં મદદ મળે છે, પણ મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે અને ઈમ્યુનિટી પણ મજબૂત થાય છે. દરેક સવારે ખાલી પેટ પર માત્ર એક ગ્લાસ મધ અને કાળા મરીવાળું ગરમ પાણી પીવું આરોગ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કેવી રીતે તૈયાર કરશો આ ડ્રિન્ક? – 1 ગ્લાસ ગરમ પાણી – 1 ચમચી શુદ્ધ મધ – 1 ચપટી કાળા મરીનો પાવડર – બધા ઘટકોને મિક્સ કરી, રોજ સવારે ખાલી પેટ…

ઉનાળામાં કાચી ડુંગળીનું સેવન સ્વાસ્થ્ય માટે અમૃત સમાન, જાણો તેના વૈજ્ઞાનિક ફાયદા

રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમી ચાલું છે અને તાપમાન 45°Cને પાર કર્યું છે. આવી પરિસ્થિતિમાં લોકો ચક્કર આવવું, બેભાન થવું, લૂ લાગવી જેવી સમસ્યાઓનો સામનો કરે છે. તજજ્ઞોનું કહેવું છે કે આવા સમયે ઘરેલુ અને કુદરતી ઉપાય ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને કાચી ડુંગળીનું સેવન ગરમીથી બચાવવામાં ખૂબ લાભદાયી છે. શું છે કાચી ડુંગળીના આરોગ્યલાભ? 1. હીટસ્ટ્રોકથી રક્ષણ: ડુંગળી શરીરને અંદરથી ઠંડક આપે છે અને તાપમાન સહન કરવાની ક્ષમતા વધારે છે. ખાસ કરીને બપોરના ભોજનમાં તેનો ઉપયોગ લૂથી રક્ષણ આપે છે. 2. શરીરમાં પાણીની ઉણપ દૂર કરે: ડુંગળીમાં કુદરતી રીતે પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે, જે શરીરને હાઈડ્રેટ રાખે છે. ઉનાળામાં શરીરમાં પ્રવાહી નીકળી જાય છે ત્યારે ડુંગળી તેની પૂર્તિ કરે છે. 3. પાચનશક્તિ…

કેન્સરથી બચાવ માટે પ્રાકૃતિક ઔષધિ લસણ, અંદર રહેલું એલિસિન આપે છે રક્ષણ, જાણો આરોગ્યલક્ષી ફાયદા

લસણ જે સામાન્ય રીતે દરેક ભારતીય રસોડાનું અભિન્ન અંગ ગણાય છે, હવે વૈજ્ઞાનિક સંશોધનો અનુસાર, ફક્ત ખોરાકનો સ્વાદ વધારતી ચીજ નથી રહી. તેમાં રહેલું એક બળવાન સંયોજન એલિસિન (Allicin) આજે વૈજ્ઞાનિક અને આરોગ્ય નિષ્ણાતો દ્વારા કેન્સર વિરોધી ઉપચારાત્મક તત્વ તરીકે માન્યતાપાત્ર બની ચૂક્યું છે. શું છે એલિસિન? એલિસિન એ લસણમાં રહેલું એક પ્રાકૃતિક ઓર્ગેનોસલ્ફર સંયોજન છે, જે લસણને ક્રશ કરવાથી અથવા ચપટી દેવાથી સક્રિય થાય છે. રિસર્ચ ગેટ અને વિવિધ વૈજ્ઞાનિક સંસ્થાઓ દ્વારા પ્રકાશિત અહેવાલો પ્રમાણે, એલિસિનમાં એવી ક્ષમતા હોય છે કે જે શરીરમાં કેન્સરજાત કોષોની વૃદ્ધિને અવરોધી શકે છે. તેથી લસણને પ્રાકૃતિક “એન્ટી-કેન્સર એજન્ટ” તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. લસણના મુખ્ય ફાયદાઓ: 1. કેન્સર સામે રક્ષણ એલિસિન સહિતના ઓર્ગેનોસલ્ફર તત્વો કેન્સર કોષોની વૃદ્ધિને અટકાવે છે.…