ગૌહત્યાના કેસમાં આરોપીને સજા, હર્ષ સંઘવીએ પોસ્ટ કરી શેર

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગૌ રક્ષાને લઈને આજે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, અમે ગૌ રક્ષા કરવાના ફક્ત દાવા કરતા નથી. પરંતુ ગૌ રક્ષા કરવાના અમારા સંકલ્પને પૂર્ણપણે ચરિતાર્થ પણ કરીએ છીએ. આજે સોશિયલ મીડિયામાં મૂકેલ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, ‘ગુજરાતમાં અમે ફક્ત ગૌ હત્યારાઓની ધરપકડ નથી કરતા પરંતુ તેમને સજા મળે ત્યાં સુધી લડત આપીએ છીએ. ઇમરાન શરીફ શેખ મોશિન ઉર્ફ બકરા ફરીદ શેખને 7 વર્ષની સજા આપવામાં આવી છે.’ –> હર્ષ સંઘવીએ પોસ્ટ કરી શેર:- ગુજરાત સરકાર દ્વારા ગૌહત્યા માટેનો કાયદો બનાવવામાં આવ્યો છે. અને કાયદાનો અમલ અમારી સરકાર દ્વારા જ કરવામાં આવી રહ્યો છે. ગૌ હત્યારાને સજા અપાવવાનો આ મહિનામાં આ ત્રીજો ચુકાદો છે. અમારી સરકારે…