Gujaratના ખેડૂતો માટે મોટી રાહત: નર્મદાના પાણીથી 1300થી વધુ તળાવો ભરાશે…

ઉત્તર Gujaratના ખેડૂતો માટે મોટી રાહત: નર્મદાના પાણીથી 1300થી વધુ તળાવો ભરાશે, 3 લાખ એકરથી વધુ જમીનને સિંચાઈનો લાભ Gujaratના ઉત્તર ગુજરાત વિસ્તારમાં ચાલુ ચોમાસા દરમિયાન વરસાદ ખેંચાતા ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઉત્તર ગુજરાતમાં પૂરક સિંચાઈ અને પીવાના પાણીના હેતુસર નર્મદા નહેર આધારિત ઉદ્વહન પાઈપલાઈનો મારફતે નર્મદાનું પાણી ફાળવવામાં આવશે. આ નિર્ણયથી ખેડૂતોને સિંચાઈ માટે મોટી રાહત મળવાની સાથે અનેક ગામોમાં પાણીની ઉપલબ્ધતા પણ વધશે.કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં લેવાયેલા આ ખેડૂતલક્ષી નિર્ણય મુજબ નર્મદાનું પાણી ઓક્ટોબર-2026 સુધીના સમયગાળા માટે ઉત્તર Gujaratના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવામાં આવશે. વરસાદની અછતને કારણે ઉભી થયેલી પાણીની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પૂરક સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવાનું આયોજન કર્યું…