અનંત પટેલ કોંગ્રેસ છોડી AAP માં જોડાશે? જાણો કોણે કર્યો દાવો

ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવે તેવા સંકેત સામે આવ્યા છે. વલસાડના સાંસદ ધવલ પટેલ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલને લઈ મોટો દાવો કર્યો છે. ધવલ પટેલે જાહેરમાં નિવેદન આપતા કહ્યું કે, અનંત પટેલ  કોંગ્રેસનો સાથ છોડી અને આમ આદમી પાર્ટીમાં જોડાશે. ધવલ પટેલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર આંકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે એક તરફ વાંસદાના ધારાસભ્ય એક બાજુ કોંગ્રેસને મજબૂત કરવાની વાત કરે છે અને એ કહે છે કે આમ આદમી પાર્ટી અને ભાજપમાંથી સભ્યો તોડશે. અને એક બાજુ ચૈતર વસાવા કોંગ્રેસના 200 જેટલા સભ્યો આમ આદમી પાર્ટીમાં જોડે છે અને બીજી બાજુ બીજા જ…

Congressમાં કકળાટ યથાવત, પાટણના MLA કોંગ્રેસમાં દંડક પદેથી આપશે રાજીનામું ! જાણો શું છે મામલો

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સતત સામે આવી રહ્યા છે. કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ દરમિયાન પાટણ જિલ્લા કોંગ્રેસમાં નેતાઓન આંતરીક વિખવાદ સામે આવ્યો છે. સંગઠનમાં નિમણૂકને લઈને પાટણ બેઠકના ધારાસભ્ય કિરીટ પટેલ કોંગ્રેસમાં દંડક પદેથી રાજીનામું ધરી દેશે એવી ચીમકી ઉચ્ચારી છે. પાટણ જિલ્લામાં અનુસૂચિત જાતિમાં પ્રમુખની નિમણુંકને લઈને ગઇકાલે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તાળાંબંધી કરવામાં આવી હતી. ત્યારે હવે આજે ધારાસભ્ય કિરીટ પટેલ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના દંડક પદેથી રાજીનામું આપશે. 3 વાગ્યે આપશે રાજીનામું  પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે જયાબેન શાહની વરણી કરવામાં આવી હતી. જેને લઈને વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. બીજી તરફ આ નિમણૂકને લઈ ગઇકાલે ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે જે નિમણુક કરવામાં…

ગુજરાત કોંગ્રેસને વર્ષ 2026માં લાગશે મોટો ફટકો, રાજ્યસભામાં એક પણ…

નિકેત સંઘાણી, ગાંધીનગર/ ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થવા લાગી છે. બીજી તરફ રાજકીય સોગઠાં ગોઠવાવા લાગ્યા છે. આ દરમિયાન હવે વર્ષ 2026માં ગુજરાત કોંગ્રેસને એક મોટો ફટકો પડશે. ગુજરાતથી રાજ્યસભામાં કોંગ્રેસનો એક પણ સાંસદ નહીં રહે. ગુજરાતમાં હાલ રાજ્ય સભાની કુલ 11 બેઠકો છે. જે પૈકી 1 બેઠક પર કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ છે. જ્યારે બાકીની 10 બેઠકો પર ભાજપના સાંસદ છે. આ દરમિયાન વર્ષ 2026ના 21 જૂનના રોજ 4 બેઠકો ખાલી થઈ રહી રહી છે. ત્યારે આવનાર ચૂંટણીમાં કદાચ કોંગ્રેસને પોતાની બેઠક ગુમાવવાનો વારો આવી શકે છે. વિધાનસભામાં સંખ્યા બળ ઓછું ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યા બળ સતત ઘટી રહ્યું છે. હાલ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ફક્ત 12 જ ધારાસભ્ય છે. ત્યારે આવનાર રાજ્યસભાની ચૂંટણીમાં…

રિવાબા જાડેજાએ 2027ની ચૂંટણીમાં કોંગ્રેસને લઈ કરી મોટી ભવિષ્યવાણી; જાણો શું કહ્યું

ગુજરાત પ છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધીનું ફોકસ વધારે છે. આ દરમિયાન આજે રાહુલ ગાંધીએ આજે ગુજરાતને લઈ X પર પોસ્ટ કરવામાં આવી હતી. જેને લઈને રિવાબા જાડેજા મેદાને ઉતાર્યા છે અને તેમણે રાહુલ ગાંધીને જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીને રિવાબાએ 2027ની ચૂંટણીને લઈને પણ જણાવ્યું કે, કોંગ્રેસ સિંગલ ડિજિટમાં સમેટાઇ જશે. ગુજરાતમાં દારૂબંધી મામલે રાજકારણ ગરમ છે. જીગ્નેશ મેવાણીના પોલીસને લઈને નિવેદન બાદ વિઓધ શરૂ થયો હતો. ત્યાર બાદ સમર્થન મામલે આવેદન પત્રો દેવાના શરૂ થયા. આ દરમિયાન ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ મામલે આજે રાહુલ ગાંધીએ x પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે દારૂબંધી અને ડ્રગ્સ મામલે સરકારને ઘેરી હતી. જેમનો જવાબ રિવાબાએ આપ્યો હતો. રિવાબાએ શું કરી પોસ્ટ રાહુલ ગાંધીની પોસ્ટમાં જવાબ આપતા રિવાબાએ…

કોંગ્રેસના ચાણક્ય ગણાતા અહેમદ પટેલના પુત્ર કરશે નવી પાર્ટીની સ્થાપના ! કેમ ચર્ચાઓ થઈ શરૂ ?

ગુજરાત કોંગ્રેસના ચાણક્ય ગણાતા અહેમદ પટેલના અવસાન બાદ તેમના સંતાનો રાજકારણમાં એન્ટ્રી કરવા માંથી રહ્યા છે. વર્ષ 2022ની ચૂંટણી પહેલા મુમતાઝ પટેલ ખૂબ જ ચર્ચામાં હતી. ત્યાર બાદ તેમના ભાઈ ફૈઝલ પટેલ પણ ચર્ચામાં આવ્યો. કોંગ્રેસ સાથેના સંબંધો બાદ પણ અન્ય પક્ષોના નેતાઓ સાથે ચર્ચાઓ થઈ. ત્યાર બાદ વર્ષ 2025ની શરૂઆતમાં તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો. અને હવે ફૈઝલ પટેલની પોસ્ટથી અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. જે ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વિષય બની શકે છે. તેમણે કોંગ્રેસ (AP) પાર્ટી બનાવવાનો વિચાર કરતી પોસ્ટ મૂકી છે. જેમાં તેમણે બહેન મુમતાઝ પટેલ કોંગ્રેસ (AP)માં જોડાય તેવી આશા વ્યક્ત કરી અને લોકો પાસે અભિપ્રાયો માંગ્યા છે. જુઓ બન્નેની…

કેમ થઈ રહ્યો છે જીગ્નેશ મેવાણીનો વિરોધ, પોલીસને શું આપી હતી ધમકી

ગુજરાતમાં હાલ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ બે દિવસ પહેલા આપેલ એક નિવેદનને લઈ પોલીસ તંત્રમાં ભારે રોષ છે. જેને લઈને લોકોએ પણ પોલીસ તંત્રને ટેકો આપ્યો છે. આ સાથે જ હવે લોકો પણ જીગ્નેશ મેવાણી સામે મેદાને ઉતાર્યા છે. આ વિરોધ વાવ થરાદ, અમરેલી અને હવે કચ્છ સુધી પહોંચ્યો છે. ગઇકાલે પાલનપુરમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. આ સાથે જ લોકોએ જીગ્નેશ મેવાણી હાય હાયના નારા પણ લગાવ્યા હતા. અને જિગ્નેશ મેવાણી જાહેરમાં માફી માગે તેવી માંગ કરવામાં આવી હતી. જાણો શું છે મામલો વાવ થરાદમાં આ વિવાદનું મૂળ છે. જીગ્નેશ મેવાણી બે દિવસ પહેલા શિવનગરના લોકો સાથે થરાદ SP કચેરી…

ગુજરાત કોંગ્રેસને દિલ્હીનું તેડું, બપોરે 2 કલાકે કોંગ્રેસ ભવન ખાતે યોજાશે બેઠક

ગુજરાત પર એક તરફ કોંગ્રેસનું ફોકસ છે. ત્યારે બીજી તરફ રાહુલ ગાંધી પણ સતત ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે. આ દરમિયાન હવે ગુજરાત કોંગ્રેસના નેતાને દિલ્હીથી તેડું આવ્યું છે અને આજે બોપોરે જ ગુજરાત કોંગ્રેસના સિનિયર હોદ્દેદારોની કોંગ્રેસ ભવન ખાતે મિટિંગ યોજાશે. હાલ ગુજરાતમાં કોંગ્રેસ પોતાના સોગઠાં ગોઠવી રહી છે. સંગઠન મજબૂત કરવાના પ્રયાસો કરી રહી છે. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસના વર્તમાન પ્રદેશ અધ્યક્ષ , વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા, ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ વિપક્ષ નેતા તથા ઉપનેતા સહિતના સિનિયર હોદ્દેદારો આજે દિલ્હી પહોંચ્યા છે. આ સાથે આ તમામ નેતાઓ બપોરે 2 કલાકે કોંગ્રેસ ભવન ખાતે બેઠકમાં હાજરી આપશે. એક તરફ ગુજરાતમાં કોંગ્રેસનો ગ્રાફ એકદમ નીચે જઈ રહ્યો છે. બીજી તરફ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું…

ગોષ્ઠિ ગુજરાતની

પંકજ મકવાણા,અમદાવાદ/ સંવેદનશીલ સમયે હાર્દિકનો અવિચારી પ્રયોગ ભાજપના યુવા ધારાસભ્ય હાર્દિક પટેલે રવિવારે એક એવા સંવેદનશીલ સમયે કોંગ્રેસ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરી, જયારે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા સંજોગો ચાલી રહ્યાં છે. મોટા ભાગના નેતાઓ સંયમ પાળીને શાંતિ જાળવી રહ્યા છે ત્યારે હાર્દિકે તત્કાલ ભૂતકાળના આતંકવાદી હુમલાઓ કોંગ્રેસના શાસનકાળ સાથે જોડીને એક જુનો મુદ્દો ઉકેલવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમની આ પોસ્ટને જનતાએ ઉત્તર આપ્યો નહિ. વળી, ઘણી જાતની ટીકા અને મિમ બનાવવામાં આવ્યા. કેટલાક લોકોએ 1971ના યુદ્ધ સમયે ઇન્દિરા ગાંધીની સખત નેતાગીરી યાદ અપાવી, જેના જવાબમાં હાર્દિકે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમ છતાં, તેમના આ વલણથી ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓ પણ અસંતોષમાં આવ્યા છે. આ ઘટના દર્શાવે છે કે દુર્ઘટનાઓ અને તણાવભર્યા મુદ્દાઓ પર રાજકારણ…

ગુજરાતમાં કોંગ્રેસ આપ સાથે નહીં કરે ગઠબંધન, શક્તિસિંહ ગોહિલે કરી મોટી જાહેરાત

ગુજરાતના રાજકારણમાં સતત ગરમાવો આવી રહ્યો છે. એક તરફ ગુજરાતમાં કોંગ્રેસ ફરી બેઠી થવા રણનીતિ ઘડી રહી છે. બીજી તરફ રાહુલ ગાંધીનું ફોકસ પણ ગુજરાત પર છે. આ દરમિયાન હવે ગુજરાતમાં આવનાર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસે મોટી જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધનની ચર્ચા ચાલી રહી હતી જેને પૂર્ણવિરામ આપ્યો છે. કોંગ્રેસ હવે કડી અને વિસાવદર બંને બેઠક પર ઉમેદવાર મેદાને ઉતારશે. વિસાવદરની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર બનાવ્યા છે. બીજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે મોટી જાહેરાત કરી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસ ગઠબંધન નહીં કરે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, ગુજરાત ત્રીજો મોરચો સ્વીકારતું નહીં તેથી નિર્ણય લીધો છે. વિસાવદર અને કડીમાં ઉમેદવાર ઉતારીશું. કેન્દ્રમાં…

ઠાકરશી રબારીની અટકાયતને લઈ ગરમાયુ રાજકારણ, યજ્ઞેશ દવેએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન

એક તરફ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસના ઉત્તર ગુજરાતના ખેડૂત આગેવાન ઠાકરશી રબારીની અટકાયત થતાં ખળભળાટ મચ્યો છે. રાજસ્થાન પોલીસે અફિણ કેસમાં થરાદ ખાતેની રબારી સમાજની હોસ્ટેલમાંથી તેમની અટકાયત કરી હતી. જેને લઈને યજ્ઞેશ દવેએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. રાજસ્થાન પોલીસે ત્રણ કિલોગ્રામ અફિણના કેસમાં કોંગ્રેસના ઉત્તર ગુજરાતના ખેડૂત આગેવાન ઠાકરશી રબારીની ધરપકડ કરી હતી. આ કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. બનાસકાંઠા કોંગ્રેસના નેતા ઠાકરશી રબારીને રાજસ્થાનની સ્વરૂપગંજ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. યજ્ઞેશ દવેએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન રાજસ્થાનમાં અફિણ મામલે કોંગ્રેસના નેતાની ધરપકડ મામલે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ કોંગ્રેસ ઉપર નિશાન સાધ્યુ છે. તેમણે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના નિવેદન મુદ્દે કર્યા પ્રહાર કરતાં કહ્યું છે કે, ગુજરાત…