દિલ્હી-NCRમાં હવાના પ્રદૂષણ સામે કડક પગલાં, કંપનીઓને 50% વર્ક ફ્રોમ હોમનો આદેશ
દિલ્હી-NCRમાં હવાનું પ્રદૂષણ સતત વધતા જતા હવે આ વિસ્તારમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. વધતા પ્રદૂષણને કારણે, સરકાર દ્વારા તમામ સરકારી અને ખાનગી કચેરીઓને ફક્ત 50% સ્ટાફ સાથે કાર્યરત રહેવાની સૂચના આપવામાં આવી છે, બાકીના કર્મચારીઓ ઘરેથી કામ કરશે. આ નિર્ણય ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) ના ત્રીજા તબક્કાના ભાગરૂપે 24 નવેમ્બર, 2025 ના રોજ લાગુ કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ પગલાં – તમામ સરકારી અને ખાનગી કચેરીઓ હવે 50% સ્ટાફ સાથે કાર્યરત રહેશે. – બાકીના કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ હેઠળ કામ કરશે. – વાહનની અવરજવર અને ઓફિસ હાજરી પર કડક નિયંત્રણ લાગુ થશે. – હોસ્પિટલ, ફાયર સર્વિસ, જાહેર પરિવહન, સ્વચ્છતા અને પ્રદૂષણ નિયંત્રણ વિભાગો જેવી આવશ્યક સેવાઓ મુક્ત રહેશે. GRAP III હેઠળ નિયમો – PM2.5 અને PM10ના…
દિલ્હીમાં પ્રદૂષણ પર ભારે હોબાળો! ‘ઝેરી હવા’ સામે લોકો રસ્તા પર ઉતર્યા, ઇન્ડિયા ગેટ પર પ્રદર્શનકારીઓની અટકાયત
રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર સતત ખતરનાક બની રહ્યું છે. છેલ્લા એક મહિનાથી હવાની ગુણવત્તા ગંભીર સ્તરે પહોંચી છે. અનેક વિસ્તારોમાં AQI 420 થી ઉપર નોંધાયો છે, જે “Hazardous” કેટેગરીમાં આવે છે. લોકો રસ્તા પર ઉતર્યા – ઇન્ડિયા ગેટ પર પ્રદર્શન દિલ્હીની હવામાં વધતા ઝેર સામે લોકો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ઇન્ડિયા ગેટ પર અનેક નાગરિકો અને રાજકીય પક્ષોના કાર્યકરો ભેગા થયા હતા. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ સહિતના અનેક નેતાઓએ પણ આ વિરોધમાં ભાગ લીધો. પરંતુ, દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓને અટકાયત કરી હતી. પોલીસે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ઇન્ડિયા ગેટ વિરોધ માટે માન્ય સ્થળ નથી, તેથી જંતર-મંતર તરફ જવાની સૂચના આપવામાં આવી હતી. AAP પ્રવક્તા પ્રિયંકા કક્કરનો આરોપ વિરોધ દરમિયાન આમ આદમી…








