જામનગરમાં ચાંદીપુરાની દહેશત: વધુ 3 બાળ દર્દીઓનાં મોત, શંકાસ્પદ મૃત્યુઆંક 9 થયો
જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ કેસોને લઈને ચિંતા વધી રહી છે. જિલ્લામાં ચાંદીપુરા રોગના લક્ષણો ધરાવતા બાળ દર્દીઓમાં છેલ્લા કેટલાક દિવસોથી વધારો જોવા મળ્યો છે. દરમિયાન છેલ્લા બે દિવસમાં વધુ ત્રણ બાળ દર્દીઓનાં સારવાર દરમિયાન મોત થતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. આ સાથે જામનગર જિલ્લામાં ચાંદીપુરા સંબંધિત શંકાસ્પદ કેસોમાં અત્યાર સુધી કુલ 9 બાળકોનાં મોત થયાં હોવાનું સામે આવ્યું છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા બાળ દર્દીઓની સંખ્યા અગાઉ પાંચ સુધી પહોંચી હતી. જોકે, ત્રણ દર્દીઓનાં મોત બાદ હવે હોસ્પિટલમાં બે બાળ દર્દીઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા બંને દર્દીઓની સારવાર અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ધ્રોલના બાળકનો ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ ધ્રોલ પંથકના એક બાળકમાં ચાંદીપુરા…
જામનગર: કોર્પોરેટર અસલમ ખીલજી પર અજાણ્યા શખ્સોનો હુમલો,, જાણો વિગત
જામનગર મહાનગરપાલિકા ખાતે સક્રિય રાજકારણમાં જાણીતા કોર્પોરેટર અસલમ ખીલજી પર મોડી સાંજે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો. તેમને લોહીનું ઘાટ પહોંચાડવામાં આવ્યું અને તાત્કાલિક જામનગર જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. હાલમાં તેમની તબિયત સ્થિર હોવાનું હોસ્પિટલનાં અધિકારીઓએ જણાવ્યું છે. પક્ષપલટા બાદ હુમલો અસલમ ખીલજી અગાઉ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા અને વિપક્ષના નેતા તરીકે સેવા આપી ચુક્યા છે. પરંતુ તાજેતરમાં તેમણે કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટી (AAP)માં જોડાવાનું નિર્ણય લીધું હતું. પક્ષપલટા બાદ જ થયેલો આ હુમલો રાજકીય અદાવતના સંકેત રૂપે જોવાયો છે. પોલીસ તપાસ અને પગલાં હુમલાની જાણ થતાં જ પોલીસ ટીમ ઘટના સ્થળે અને જી.જી. હોસ્પિટલ પહોંચી તપાસ શરૂ કરી. પોલીસ ગુનો નોંધતાં સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે અને હુમલાખોરોની ઓળખ માટે ગુપ્ત જાણકારી…








