વડોદરા : 3 થી 11 ઓક્ટોબર દરમિયાન વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાશે, જાણો વિગત
શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના રીપેરીંગ અને જાળવણી કામગીરીને લઈ તા. 3 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર દરમિયાન વિજ પુરવઠો સમયગાળાની વચ્ચે ખોરવાશે. દરરોજ સવારે 6:00 વાગ્યાથી 10:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. વીજ વિભાગ તરફથી આપેલા નિવેદન અનુસાર, રીપેરીંગ કાર્ય પૂર્ણ થતાં સાથે જ જાણ કર્યા વિના વીજ પુરવઠો પુનઃશરૃ થઈ જશે. તારીખવાર વિજ પુરવઠો બંધ રહેવાના વિસ્તારો: તા. 3 ઓક્ટોબર (શુક્રવાર): વાસણા સબ ડિવિઝન માઈલ સ્ટોન ફીડર શહીદ વિસ્તાર આસપાસ તા. 4 ઓક્ટોબર (શનિવાર): અટલાદરા ફીડર મહાબલીપુરમ ફીડર વિસ્તાર તા. 5 ઓક્ટોબર (રવિવાર): અલકાપુરી ફીડર પનોરમ ફીડર વિસ્તાર તા. 7 ઓક્ટોબર (મંગળવાર): અલકાપુરી ફીડર આર્કેડ ફીડર અકોટા સબ ડિવિઝન ગુજરાત ટ્રેક્ટર ફીડર યોગી ફીડર (અટલાદરા સબ ડિવિઝન) તા. 8 ઓક્ટોબર (બુધવાર): સમા સબ ડિવિઝન (અણુશક્તિ ફીડર)…







