વડોદરા : 3 થી 11 ઓક્ટોબર દરમિયાન વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાશે, જાણો વિગત

શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના રીપેરીંગ અને જાળવણી કામગીરીને લઈ તા. 3 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર દરમિયાન વિજ પુરવઠો સમયગાળાની વચ્ચે ખોરવાશે. દરરોજ સવારે 6:00 વાગ્યાથી 10:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. વીજ વિભાગ તરફથી આપેલા નિવેદન અનુસાર, રીપેરીંગ કાર્ય પૂર્ણ થતાં સાથે જ જાણ કર્યા વિના વીજ પુરવઠો પુનઃશરૃ થઈ જશે.

તારીખવાર વિજ પુરવઠો બંધ રહેવાના વિસ્તારો:
તા. 3 ઓક્ટોબર (શુક્રવાર):
વાસણા સબ ડિવિઝન
માઈલ સ્ટોન ફીડર
શહીદ વિસ્તાર આસપાસ

તા. 4 ઓક્ટોબર (શનિવાર):
અટલાદરા ફીડર
મહાબલીપુરમ ફીડર વિસ્તાર

તા. 5 ઓક્ટોબર (રવિવાર):
અલકાપુરી ફીડર
પનોરમ ફીડર વિસ્તાર

તા. 7 ઓક્ટોબર (મંગળવાર):
અલકાપુરી ફીડર
આર્કેડ ફીડર
અકોટા સબ ડિવિઝન
ગુજરાત ટ્રેક્ટર ફીડર
યોગી ફીડર (અટલાદરા સબ ડિવિઝન)

તા. 8 ઓક્ટોબર (બુધવાર):
સમા સબ ડિવિઝન (અણુશક્તિ ફીડર)
ફતેગંજ સબ ડિવિઝન વિસ્તાર

તા. 9 ઓક્ટોબર (ગુરૂવાર):
લક્ષ્મીપુરા સબ ડિવિઝન
અલકાપુરી સબ ડિવિઝન
અલકાપુરી ફીડર વિસ્તાર

તા. 10 ઓક્ટોબર (શુક્રવાર):
સમા સબ ડિવિઝન
ચાણક્ય પૂરી ફીડર વિસ્તાર

તા. 11 ઓક્ટોબર (શનિવાર):
અલકાપુરી ફીડર
ટ્રાઇડેન્ટ ફીડર વિસ્તાર

નાગરિકોને અપીલ:
વિશ્વામિત્રી પશ્ચિમ વિદ્યુત વિભાગના કાર્યપાલક ઈજનેરએ જણાવ્યું છે કે નાગરિકોએ સાવચેત રહેવું અને પોતાના રહેણાંક તેમજ વ્યાવસાયિક સ્થાનોમાં વીજ પુરવઠો બંધ રહે તે મુજબ પૂર્વ તૈયારી રાખવી જરૂરી છે.

Related Posts

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ: 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ, 22 બાળકોના મોત

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ સંપૂર્ણ એલર્ટ પર છે. રાજ્યમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં વાયરસના લક્ષણો જોવા મળતા તપાસ, સારવાર અને સર્વેલન્સ વધુ સઘન બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં નોંધાયેલા 184 શંકાસ્પદ કેસોમાંથી 35 કેસ ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે, જ્યારે 11 દર્દીઓના સેમ્પલના ટેસ્ટ રિપોર્ટ હજુ બાકી છે. ગુજરાતમાં રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ ચાંદીપુરા વાયરસની હાલની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે, તમામ શંકાસ્પદ કેસ ચાંદીપુરા વાયરસના નથી. આરોગ્ય વિભાગ દરેક કેસની તપાસ કરી રહ્યું છે અને લેબોરેટરી પરીક્ષણ બાદ જ અંતિમ પુષ્ટિ કરવામાં આવે છે. ગુજરાતમાં 22 બાળકોના મોતથી ચિંતા વધી ગુજરાતમાં આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કારણે 22 બાળકોના મોત થયા છે. આ આંકડાએ…

ખેડૂતો માટે રાહતના સમાચાર: ગુજરાતમાં આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ બાદ હવે હવામાનમાં રાહત જોવા મળી રહી છે. સતત વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત થયું હતું, નદીઓમાં નવા નીર આવ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હવે હવામાન વિભાગે રાજ્ય માટે રાહતના સમાચાર આપ્યા છે. ગુજરાતમાં ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ, 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે. આગામી છ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહી ખેડૂતો માટે ખાસ કરીને રાહતરૂપ માનવામાં આવી રહી છે, કારણ કે સતત ભારે વરસાદના કારણે ખેતીના પાકને નુકસાન થવાની આશંકા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *