વડોદરા : 3 થી 11 ઓક્ટોબર દરમિયાન વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાશે, જાણો વિગત

શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના રીપેરીંગ અને જાળવણી કામગીરીને લઈ તા. 3 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર દરમિયાન વિજ પુરવઠો સમયગાળાની વચ્ચે ખોરવાશે. દરરોજ સવારે 6:00 વાગ્યાથી 10:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. વીજ વિભાગ તરફથી આપેલા નિવેદન અનુસાર, રીપેરીંગ કાર્ય પૂર્ણ થતાં સાથે જ જાણ કર્યા વિના વીજ પુરવઠો પુનઃશરૃ થઈ જશે.

તારીખવાર વિજ પુરવઠો બંધ રહેવાના વિસ્તારો:
તા. 3 ઓક્ટોબર (શુક્રવાર):
વાસણા સબ ડિવિઝન
માઈલ સ્ટોન ફીડર
શહીદ વિસ્તાર આસપાસ

તા. 4 ઓક્ટોબર (શનિવાર):
અટલાદરા ફીડર
મહાબલીપુરમ ફીડર વિસ્તાર

તા. 5 ઓક્ટોબર (રવિવાર):
અલકાપુરી ફીડર
પનોરમ ફીડર વિસ્તાર

તા. 7 ઓક્ટોબર (મંગળવાર):
અલકાપુરી ફીડર
આર્કેડ ફીડર
અકોટા સબ ડિવિઝન
ગુજરાત ટ્રેક્ટર ફીડર
યોગી ફીડર (અટલાદરા સબ ડિવિઝન)

તા. 8 ઓક્ટોબર (બુધવાર):
સમા સબ ડિવિઝન (અણુશક્તિ ફીડર)
ફતેગંજ સબ ડિવિઝન વિસ્તાર

તા. 9 ઓક્ટોબર (ગુરૂવાર):
લક્ષ્મીપુરા સબ ડિવિઝન
અલકાપુરી સબ ડિવિઝન
અલકાપુરી ફીડર વિસ્તાર

તા. 10 ઓક્ટોબર (શુક્રવાર):
સમા સબ ડિવિઝન
ચાણક્ય પૂરી ફીડર વિસ્તાર

તા. 11 ઓક્ટોબર (શનિવાર):
અલકાપુરી ફીડર
ટ્રાઇડેન્ટ ફીડર વિસ્તાર

નાગરિકોને અપીલ:
વિશ્વામિત્રી પશ્ચિમ વિદ્યુત વિભાગના કાર્યપાલક ઈજનેરએ જણાવ્યું છે કે નાગરિકોએ સાવચેત રહેવું અને પોતાના રહેણાંક તેમજ વ્યાવસાયિક સ્થાનોમાં વીજ પુરવઠો બંધ રહે તે મુજબ પૂર્વ તૈયારી રાખવી જરૂરી છે.

Related Posts

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 8થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે

ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજ્યપાલ દ્વારા 15મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ સત્ર આગામી 8, 9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. ત્રણ દિવસ ચાલનારા આ સત્રમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ સરકારી કામકાજ, વિધેયકો અને મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કરવામાં આવશે, જ્યારે વિપક્ષ પણ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને લઈને સરકારને ઘેરવાની તૈયારીમાં છે. વિધાનસભાનું સત્ર રાજ્યના વહીવટી અને રાજકીય દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દરમિયાન ધારાસભ્યોને પોતાના મતવિસ્તાર સાથે જોડાયેલા પ્રશ્નો, સમસ્યાઓ અને સૂચનો રજૂ કરવાની તક મળે છે. સત્ર દરમિયાન રાજ્યના વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ તેમજ જનતાને અસર કરતા પ્રશ્નો પર ચર્ચા થવાની શક્યતા છે. ગુજરાત વિધાનસભાના રાજ્યપાલે કર્યું સત્રનું આહ્વાન ગુજરાત વિધાનસભાના આઠમા સત્ર માટે રાજ્યપાલ દ્વારા…

2026 સુપ્રીમ કોર્ટ : HISTORIC LEGAL REFORM : કેસના ઝડપી નિકાલ માટે કેન્દ્રનો નિર્ણય : Lok Sabha Passed Bill

લોકસભાએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા 34થી વધારી 38 કરવા માટેનું બિલ મંજૂર કર્યું. કેસોની વધતી સંખ્યા, પેન્ડન્સી ઘટાડવા અને ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકારનું મહત્વપૂર્ણ પગલું. લોકસભામાં ઐતિહાસિક નિર્ણય: સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા વધારવા બિલ મંજૂર દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં વર્ષોથી વધી રહેલા કેસોના ભારને ઘટાડવા અને ન્યાયિક પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. લોકસભાએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની મંજૂર સંખ્યા વધારીને 34થી 38 કરવા માટેનું બિલ બહુમતીથી પસાર કર્યું છે. આ બિલ પસાર થતાં હવે સુપ્રીમ કોર્ટમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (Chief Justice of India) સિવાય વધુ ચાર ન્યાયાધીશોની નિમણૂકનો માર્ગ મોકળો બનશે. સરકારનું માનવું છે કે વધતી વસ્તી, વધતા કાનૂની વિવાદો અને લાખો પેન્ડિંગ કેસોને ધ્યાનમાં રાખીને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *