વડોદરા : 3 થી 11 ઓક્ટોબર દરમિયાન વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાશે, જાણો વિગત

શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના રીપેરીંગ અને જાળવણી કામગીરીને લઈ તા. 3 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર દરમિયાન વિજ પુરવઠો સમયગાળાની વચ્ચે ખોરવાશે. દરરોજ સવારે 6:00 વાગ્યાથી 10:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. વીજ વિભાગ તરફથી આપેલા નિવેદન અનુસાર, રીપેરીંગ કાર્ય પૂર્ણ થતાં સાથે જ જાણ કર્યા વિના વીજ પુરવઠો પુનઃશરૃ થઈ જશે.

તારીખવાર વિજ પુરવઠો બંધ રહેવાના વિસ્તારો:
તા. 3 ઓક્ટોબર (શુક્રવાર):
વાસણા સબ ડિવિઝન
માઈલ સ્ટોન ફીડર
શહીદ વિસ્તાર આસપાસ

તા. 4 ઓક્ટોબર (શનિવાર):
અટલાદરા ફીડર
મહાબલીપુરમ ફીડર વિસ્તાર

તા. 5 ઓક્ટોબર (રવિવાર):
અલકાપુરી ફીડર
પનોરમ ફીડર વિસ્તાર

તા. 7 ઓક્ટોબર (મંગળવાર):
અલકાપુરી ફીડર
આર્કેડ ફીડર
અકોટા સબ ડિવિઝન
ગુજરાત ટ્રેક્ટર ફીડર
યોગી ફીડર (અટલાદરા સબ ડિવિઝન)

તા. 8 ઓક્ટોબર (બુધવાર):
સમા સબ ડિવિઝન (અણુશક્તિ ફીડર)
ફતેગંજ સબ ડિવિઝન વિસ્તાર

તા. 9 ઓક્ટોબર (ગુરૂવાર):
લક્ષ્મીપુરા સબ ડિવિઝન
અલકાપુરી સબ ડિવિઝન
અલકાપુરી ફીડર વિસ્તાર

તા. 10 ઓક્ટોબર (શુક્રવાર):
સમા સબ ડિવિઝન
ચાણક્ય પૂરી ફીડર વિસ્તાર

તા. 11 ઓક્ટોબર (શનિવાર):
અલકાપુરી ફીડર
ટ્રાઇડેન્ટ ફીડર વિસ્તાર

નાગરિકોને અપીલ:
વિશ્વામિત્રી પશ્ચિમ વિદ્યુત વિભાગના કાર્યપાલક ઈજનેરએ જણાવ્યું છે કે નાગરિકોએ સાવચેત રહેવું અને પોતાના રહેણાંક તેમજ વ્યાવસાયિક સ્થાનોમાં વીજ પુરવઠો બંધ રહે તે મુજબ પૂર્વ તૈયારી રાખવી જરૂરી છે.

Related Posts

અકસ્માત પીડિતો માટે મોટી રાહત: હવે FIRથી લઈને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સુધીના દસ્તાવેજો મળશે મફતમાં

વાહન અકસ્માતના પીડિતો અને તેમના પરિવારજનો માટે મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવ્યા છે. અકસ્માત બાદ વીમા ક્લેમ અને વળતર મેળવવાની પ્રક્રિયા ઝડપી અને સરળ બને તે માટે માહિતી આયોગે એક…

અલ-નીનો સામે ગુજરાત સરકાર એલર્ટ: 300થી વધુ તળાવોમાં ભરાશે નર્મદાનું પાણી, સૌરાષ્ટ્રના ડેમો પણ થશે છલોછલ

રાજ્યમાં અલ-નીનોની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આગોતરા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી રાજ્યની પાણી, કૃષિ અને પશુપાલન સંબંધિત સજ્જતાની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *