સુરતમાં ફૂડ પોઈઝનિંગથી બાળકીના મોત બાદ તંત્ર એક્શનમાં, હોટલ-રેસ્ટોરન્ટનું 3 દિવસ સઘન ચેકિંગ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની શંકાસ્પદ ઘટનામાં એક માસૂમ બાળકીના મોત બાદ રાજ્યનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. સુરતમાં એક પરિવારના સભ્યોની તબિયત લથડ્યા બાદ બાળકીનું સારવાર દરમિયાન મોત થતાં ખાદ્ય સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે હવે સમગ્ર ગુજરાતમાં હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય ખાદ્ય એકમોની સઘન તપાસ કરવાનો નિર્ણય લીધો છે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યભરમાં સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવશે. આ દરમિયાન હોટલ અને રેસ્ટોરન્ટના રસોડાની સ્વચ્છતા, ખાદ્યપદાર્થોની ગુણવત્તા, ખોરાકનો સંગ્રહ અને હાઈજીન સહિતના વિવિધ મુદ્દાઓની તપાસ કરવામાં આવશે. સુરતમાં શું બન્યું? સુરતમાં એક પરિવારના સભ્યો દ્વારા રેસ્ટોરન્ટનું ભોજન લીધા બાદ તેમની તબિયત અચાનક લથડી હતી. પરિવારના સભ્યોને ઉલટી, પેટમાં દુખાવો અને અન્ય તકલીફો થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા…
ધોળકામાં ફૂડ પોઈઝનિંગની ઘટના, 100થી વધુ લોકોને હોસ્પિટલ ખસેડાયા
ધોળકાના પોપટપરા વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના બની છે. જમણવારમાં 1000થી વધુ લોકો હાજર હતા અને આશરે 100 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થઈ હતી. તાત્કાલિક કાર્યવાહી સિવિલ પોલીસ અને સાતથી વધુ એમ્બ્યુલન્સ તરત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. હાલની સ્થિતિ ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ જણાવ્યું છે કે, હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને તમામ અસરગ્રસ્તો માટે તબીબી વ્યવસ્થા ઉપલબ્ધ છે. જે લોકોને જમણવાર પછી ઘરે ગયા છે, તેમને પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને જરૂરી સારવાર આપવામાં આવશે. પ્રાથમિક તારણ પ્રાથમિક તપાસમાં જણાયું છે કે આ ફૂડ પોઈઝનિંગ લગ્ન પ્રસંગમાં પરેલા ભોજનને કારણે થયું હોવાનું લાગી રહ્યું છે. વધુ તપાસ…








