JNU કેમ્પસમાં વિવાદ: PM મોદી અને અમિત શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર, FIR નોંધાઈ
દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)માં કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હોવાના મામલે યુનિવર્સિટી વહીવટીતંત્રએ FIR નોંધાવી છે. JNU પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે આવા કૃત્યોને કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. યુનિવર્સિટી મેનેજમેન્ટે જણાવ્યું હતું કે યુનિવર્સિટીઓ શીખવા, વિચારોના આદાન-પ્રદાન અને નવીનતાનું કેન્દ્ર હોય છે, નફરત ફેલાવવાનું સ્થાન નથી. અભિવ્યક્તિની સ્વતંત્રતા દરેક નાગરિકનો અધિકાર છે, પરંતુ તેના નામે હિંસા, કાયદાનો ભંગ કે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને કોઈ સ્થાન નથી. કડક શિસ્તભંગની કાર્યવાહી થશે યુનિવર્સિટી વહીવટીતંત્રના જણાવ્યા મુજબ, આ ઘટનામાં સંડોવાયેલા વિદ્યાર્થીઓ સામે તાત્કાલિક સસ્પેન્શન, યુનિવર્સિટીમાંથી હકાલપટ્ટી કે કાયમી રીતે પ્રવેશ રદ કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે. અગાઉ પણ 2016…







