ભારતની યુદ્ધ ક્ષમતામાં થશે વધારો, મોદી સરકાર કરશે 1.5 લાખ કરોડ રૂપિયાના સંરક્ષણ સોદા

ભારત સરકાર આગામી સમયમાં પોતાના સંરક્ષણ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે ઘણા મોટા કરાર કરવા જઈ રહી છે. મોદી સરકારે ૩૧ માર્ચે પૂરા થતા નાણાકીય વર્ષ પહેલાં ૪ મુખ્ય સંરક્ષણ કરારોને અંતિમ સ્વરૂપ આપવાની યોજના બનાવી છે. માહિતી અનુસાર, આ સમયગાળા દરમિયાન ભારતીય કાફલામાં ફાઇટર જેટ, સબમરીન, હેલિકોપ્ટર અને તોપોનો સમાવેશ કરવા માટે 1.5 લાખ કરોડ રૂપિયાથી વધુના સોદા કરવામાં આવશે. આનાથી ભારતના સશસ્ત્ર દળોની ફાયરપાવર અને લડાઇ ક્ષમતામાં વધારો થશે. -> ભારત ફ્રાન્સ સાથે આ મોટો સોદો કરશે :- ભારત ટૂંક સમયમાં ફ્રાન્સ સાથે લગભગ 63,000 કરોડ રૂપિયાના 26 રાફેલ-મરીન ફાઈટર જેટના સીધા સંપાદન માટે કરાર કરવા જઈ રહ્યું છે. તેમને વિમાનવાહક જહાજ INS વિક્રાંતના ડેક પર તૈનાત કરવામાં આવશે.આ સોદામાં નૌકાદળ માટે 22 સિંગલ-સીટ મેરીટાઇમ…