અલ-ફલાહ યુનિવર્સિટી: 200થી વધુ કર્મચારીઓ એજન્સીની તપાસ હેઠળ, પોલીસ તપાસનો ધમધમાટ

દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટના કેસમાં તપાસનો ધમધમાટ હવે ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટી સુધી પહોંચ્યો છે. અહેવાલો મુજબ, યુનિવર્સિટીના 200થી વધુ ડોક્ટરો, લેક્ચરર્સ અને સ્ટાફ સભ્યો હવે એજન્સીઓના રડાર પર છે. તપાસ એજન્સીઓએ એક વ્હાઇટ-કોલર આતંકી મોડ્યુલના ખુલાસા બાદ યુનિવર્સિટીના સ્ટાફના લોકર અને બહાર રહેતા વિદ્યાર્થીઓના રૂમની પણ તપાસ શરૂ કરી દીધી છે. અત્યાર સુધીમાં 1,000થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી છે. એજન્સીઓ દ્વારા તપાસના મુખ્ય મુદ્દા – યુનિવર્સિટીની અંદર કોઈ હેન્ડલર હાજર હતો કે નહીં તે શોધી રહી છે. – આત્મઘાતી બોમ્બર ડૉ. ઉમર ઉન નબીને વિશેષ સુવિધાઓ આપવામાં આવી હતી. – યુનિવર્સિટીમાં રહેતા અન્ય સાત લોકો સાથે ઉમરના સંબંધો અંગે પણ તપાસ ચાલી રહી છે. – નૂહમાં ડૉ. ઉમર ઉન નબીને રૂમ…

અલ-ફલાહ યુનિવર્સિટી સામે સરકારની મોટી કાર્યવાહી: સભ્યપદ રદ, તપાસ એજન્સીઓ સક્રિય

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા તાજેતરના આતંકવાદી હુમલા બાદ તપાસ એજન્સીઓની કાર્યવાહી સતત તેજ બની રહી છે. આ કડીમાં હરિયાણાના ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટી સામે કેન્દ્ર અને રાજ્ય સ્તરે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભારતીય યુનિયન્સ (AIU) એ અલ-ફલાહ યુનિવર્સિટીને આપેલું સભ્યપદ રદ કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ યુનિવર્સિટીને તાત્કાલિક અસરથી AIUનો લોગો અને નામ પોતાના તમામ પ્લેટફોર્મ પરથી દૂર કરવા આદેશ આપવામાં આવ્યો છે. ડોકટરોની અટકાયત અને તપાસ તપાસ એજન્સીઓએ જણાવ્યું છે કે દિલ્હી બોમ્બ વિસ્ફોટ કેસમાં યુનિવર્સિટી સાથે સંકળાયેલા અનેક ડોકટરોની ભૂમિકા શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે. હાલ સુધી ચાર ડોકટરોની ધરપકડ કરવામાં આવી છે – ડૉ. ઉમર ઉન નબી – ડૉ. શાહિદ – ડૉ. નિસાર-ઉલ-હસન – ડૉ. મુઝમ્મિલ આ તમામ ડોકટરો…