ઈન્ડોનેશિયા: સુમાત્રામાં વનનાબૂદીની ભયાનક કિંમત, 836ના મોત
ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર તાજેતરમાં વાવાઝોડું “સેન્યાર” લઈને આવ્યું વિનાશ માત્ર કુદરતી આપત્તિ નથી, પરંતુ 30 વર્ષના બેકાબૂ વનનાબૂદીનું પરિણામ છે. ત્રણ દિવસના સતત વરસાદમાં એક જ દિવસમાં 40 સે.મી. (16 ઇંચ) જેટલું પાણી પડ્યું, જેના કારણે 836 લોકો માર્યા ગયા અને 518 લોકો હજુ પણ ગુમ છે. વિનાશની સૌથી ભયાનક બાબત એ હતી કે હજારો કાપેલા લાકડાના મોટા લોગ્સ પાણી સાથે પહાડ પરથી નીચે આવી ગયા અને ઘરોનો નાશ કર્યો. વૈજ્ઞાનિકો સ્પષ્ટ કહે છે કે આ વિનાશનું મુખ્ય કારણ જંગલોનો નાશ છે. વૃક્ષોના અભાવે માટી પાણીને શોષી શકતી નથી અને ઢોળાવ પર ભૂસ્ખલન 10 ગણું વધ્યું છે. છેલ્લા 20 વર્ષમાં સુમાત્રાના 35% થી વધુ જંગલો પામ તેલના વાવેતર અને કાગળ ઉદ્યોગ માટે કાપી નાખવામાં આવ્યા.…
પાકિસ્તાન : લાહોર વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં ફરી એકવાર સામેલ, AQI 577 ના “ખતરનાક” સ્તર પર…
પંજાબ પ્રાંતની રાજધાની લાહોર ફરી એકવાર વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં સ્થાન મેળવ્યું છે. IQAir ના હવા ગુણવત્તા ડેટા અનુસાર, રવિવારે વહેલી સવારે લાહોરનો હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 577 ના “ખતરનાક” સ્તર પર પહોંચ્યો. સતત ચોથા દિવસે શહેરના મોટા ભાગો ગાઢ ધુમ્મસમાં છવાયેલા રહ્યા, જેના કારણે દૃશ્યતા ઘટી અને સ્થાનિક રહેવાસીઓમાં ગંભીર આરોગ્ય ચિંતાઓ ઉભી થઈ. હવા પ્રદૂષણનું સ્તર DHA ફેઝ 8 માં 448, ગુરુમંગટ રોડ પર 342 અને AC ઓફિસ શાલીમાર કોમ્પ્લેક્સ પાસે 305 સુધી નોંધાયું, જ્યારે ગુજરાંવાલા 632 અને સિયાલકોટ 462 સુધી પહોંચ્યું. પર્યાવરણીય નિષ્ણાતોએ જણાવ્યું કે લાંબા સમય સુધી આ ભારે પ્રદૂષણના સંપર્કમાં રહેવું શ્વસન રોગો, આંખ અને ગળામાં બળતરા, તેમજ ક્રોનિક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે ખતરનાક છે. લાહોરમાં સ્થાનિક જૂથો અને પોલીસ ધુમાડા વિરોધી…








