UGC-NET 2026માં મોટી કાર્યવાહી: અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્રની ફરી પરીક્ષા, NTAએ જાહેર કરી તારીખ

UGC-NET જૂન 2026 સત્રને લઈને લાખો ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા પરીક્ષાના ત્રણ વિષયોમાં ગંભીર ક્ષતિઓની ફરિયાદો બાદ રી-એક્ઝામ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. NTAના જણાવ્યા મુજબ અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્ર (સોશિયોલોજી) વિષયની પરીક્ષા ફરી લેવામાં આવશે. ઉમેદવારો દ્વારા પ્રશ્નપત્રની ગુણવત્તા, ભાષાંતર અને ટાઈપિંગ સંબંધિત ફરિયાદો કરવામાં આવ્યા બાદ સમગ્ર મામલાની તપાસ માટે સમિતિની રચના કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઉમેદવારો દ્વારા કરવામાં આવેલી ફરિયાદોમાં તથ્ય હોવાનું સામે આવ્યા બાદ આ ત્રણ વિષયની પરીક્ષા ફરી યોજવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી અસરગ્રસ્ત ઉમેદવારોને ફરી એકવાર પરીક્ષામાં બેસવાની તક મળશે. UGC-NET ત્રણ વિષયોની રી-એક્ઝામની તારીખ જાહેર NTA દ્વારા જાહેર કરવામાં આવેલા નવા કાર્યક્રમ મુજબ અંગ્રેજી વિષયની પુનઃપરીક્ષા 9 સપ્ટેમ્બર 2026ના…

NEET પેપર લીક મામલે મૌન કેમ રહ્યા? રાઘવ ચઢ્ઢા, કહ્યું- હવે માત્ર પ્રશ્ન નહીં પરંતુ….

NEET પેપર લીક મામલે લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચા વચ્ચે રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ પોતાનું મૌન તોડ્યું છે. એન્ટી પેપર લીક બિલ પર ચર્ચા દરમિયાન તેમણે જણાવ્યું કે ઘણા લોકો તેમને સતત પૂછતા હતા કે તેઓ NEET પેપર લીક જેવા ગંભીર મુદ્દે કેમ બોલ્યા નહોતા. NEET મામલે રાઘવ ચઢ્ઢાએ સંસદમાં પોતાના મૌન પાછળનું કારણ સમજાવતા કહ્યું કે અગાઉ જ્યારે તેઓ વિપક્ષમાં હતા ત્યારે સરકારને પ્રશ્ન પૂછવાની જવાબદારી તેમની હતી, પરંતુ હવે તેઓ સત્તા પક્ષની ટ્રેઝરી બેન્ચનો ભાગ છે. તેથી તેમની ભૂમિકા માત્ર પ્રશ્નો ઉઠાવવાની નહીં પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ શોધવામાં સહયોગ કરવાની છે. માત્ર નિવેદન નહીં, ઉકેલ સાથે વાત કરવા માંગતા હતા રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું કે NEET પેપર લીક જેવા મુદ્દે તેઓ માત્ર…

CJPના અલ્ટીમેટમ બાદ સરકારે પ્રદર્શનકારીઓ સામેની કાર્યવાહી અંગે કેન્દ્રે મંગાવી વિગતો

NEET સહિત વિવિધ મુદ્દાઓને લઈને દેશભરમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ કેન્દ્ર સરકારે પ્રદર્શનકારીઓ સામે થઈ રહેલી પોલીસ કાર્યવાહીને લઈને મહત્વપૂર્ણ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકાર એવા રાજ્યો પાસેથી માહિતી મંગાવી રહી છે જ્યાં પ્રદર્શનકારીઓ સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. સરકારનું કહેવું છે કે શાંતિપૂર્ણ અને કાયદેસર રીતે વિરોધ નોંધાવનાર નાગરિકો સામે કોઈપણ પ્રકારની અન્યાયપૂર્ણ કાર્યવાહી થવી જોઈએ નહીં. આ ઘટનાક્રમ બાદ ફરી એકવાર વિદ્યાર્થીઓના આંદોલન અને પોલીસ કાર્યવાહીનો મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ રાજ્યોમાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનો બાદ અનેક જગ્યાએ અટકાયત, FIR અને પોલીસ કાર્યવાહી અંગેના દાવાઓ…

NTAના 47 અધિકારીઓ બરતરફ: શિક્ષણ મંત્રાલયની મોટી કાર્યવાહી

દેશની પરીક્ષા વ્યવસ્થાને વધુ પારદર્શક અને વિશ્વસનીય બનાવવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા મોટું વહીવટી પગલું લેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. શિક્ષણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, NTAએ પોતાના 47 અધિકારીઓને તાત્કાલિક અસરથી સેવામાંથી બરતરફ કરી દીધા છે. આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે દિલ્હીના જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા શિક્ષણ અને પરીક્ષા પ્રણાલીમાં સુધારાની માંગ સાથે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. મળતી માહિતી મુજબ, માત્ર વહીવટી કાર્યવાહી સુધી જ મામલો સીમિત રાખવામાં આવ્યો નથી. બરતરફ કરાયેલા કેટલાક અધિકારીઓ સામે કાનૂની તેમજ ફોજદારી કાર્યવાહી કરવાની પણ તૈયારી ચાલી રહી છે. પરીક્ષાઓના આયોજનમાં પારદર્શિતા જળવાઈ રહે અને કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે કડક સંદેશ જાય તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં…

અમદાવાદમાં ફાયર ડિપાર્ટમેન્ટ ભરતી પરીક્ષા રદ, સિલેબસ બહારના પ્રશ્નો અંગે ઉમેદવારોના આક્ષેપ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફિસર (ASO) પદ માટે યોજાયેલી ભરતી પરીક્ષા વિવાદાસ્પદ બની ગઈ છે. 20 જાન્યુઆરી, 2026ના રોજ યોજાયેલી પરીક્ષા દરમિયાન ઉમેદવારો દ્વારા સિલેબસની બહારના પ્રશ્નો પુછવામાં આવ્યા હોવાનું આક્ષેપ કરવામાં આવ્યું છે. AMCએ આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને પરીક્ષા તાત્કાલિક રદ કરવાનો નિર્ણય લીધો છે. પરીક્ષા રદ થવાના કારણો AMCના સેન્ટ્રલ ઓફિસ વિભાગના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (National Defence University) આ ભરતી પરીક્ષા લેવાની જવાબદારી સંભાળી હતી. પરીક્ષા દરમિયાન કેટલાક પ્રશ્નો સિલેબસની બહારના હતા, જેના કારણે ઉમેદવારોમાં અસંતુષ્ટિ ઊભી થઈ. AMCએ પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં પરીક્ષા રદ કરવાની તાત્કાલિક કાર્યવાહી કરી. નવી તારીખ અને આગળની કાર્યવાહી – AMCના અધિકારીઓએ જણાવ્યું છે કે નવી પરીક્ષા 11 ફેબ્રુઆરી, 2026ના રોજ યોજાશે. – સિલેબસ…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી: અધ્યાપકની ગંભીર ભૂલથી BCA સેમેસ્ટર-5નું પાયથનનું પેપર રદ, જાણો વિગત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 12 નવેમ્બરે લેવાયેલું BCA સેમેસ્ટર-5નું 50 માર્કનું “પ્રોગ્રામિંગ ઇન પાયથન” થિયરી પેપર રદ જાહેર કરવામાં આવ્યું છે. આ નિર્ણય આજે યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર દ્વારા જાહેર થયો. શા માટે રદ થયું પેપર? પરિપત્ર અનુસાર, 12 નવેમ્બરે લેવાયેલું પેપર જામનગરની H.J. દોશી કોલેજની ઇન્ટર્નલ પરીક્ષાના પેપર સાથે એકદમ સરખું નીકળ્યું હતું. આ કારણે પેપર સેટ કરતાં કોલેજના અધ્યાપક હિરલ પંડ્યાએ ગંભીર ભૂલ કરી હોવાનું બહાર આવ્યું. વિદ્યાર્થી સંગઠન ABVP દ્વારા આ મુદ્દે 13 નવેમ્બરે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને આક્ષેપ મૂકાયો હતો કે મુખ્ય યુનિવર્સિટી પરીક્ષામાં લેવાયેલું પેપર જામનગરની ઇન્ટર્નલ પરીક્ષાના પેપર જેટલું જ શબ્દપ્રમાણે એકસરખું હતું. આ આક્ષેપો સાચા સાબિત થતા યુનિવર્સિટીએ આખું પેપર રદ…

માહિતી વિભાગની સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશની પરીક્ષા મોકૂફ, નવી તારીખ ડિસેમ્બરમાં

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વિવિધ વિભાગોની ભરતી માટે વર્ષ 2025ની જાહેરાતો બહાર પાડવામાં આવી હતી. આ દરમિયાન માહિતી વિભાગમાં સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ 3ની MCQ-Computer Based Recruitment Test (CBRT) પદ્ધતિથી પરીક્ષાનું આયોજન કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. પ્રથમ આરંભિક આયોજન અનુસાર પરીક્ષા 25 નવેમ્બર 2025ના રોજ લેવાની હતી. પરંતુ ઉમેદવારો અને અન્ય સંસ્થાઓ દ્વારા આ મુદ્દે વિવાદ ઉઠ્યો હતો, કારણ કે પરીક્ષા માટેની વિગતવાર અભ્યાસક્રમ જાહેરાતમાં સમાવિષ્ટ નહોતી. આ અભાવને લીધે ઉમેદવારો પરીક્ષાની તૈયારીમાં મૂંઝવણમાં મુકાયા હતા. ગૌણ સેવા પસંદગી મંડળની માહિતી મુજબ, વિગતવાર અભ્યાસક્રમ મળતા જ અને વહીવટી કારણોસર પ્રાથમિક પરીક્ષા 15 ડિસેમ્બર 2025 (સોમવાર)એ લેવામાં આવશે. આ નવી તારીખ પર તમામ સંબંધિત ઉમેદવારોને…

JEE મેન્સ 2026: સત્ર 1 માટે અરજી પ્રક્રિયા શરૂ, જાન્યુઆરીમાં પરીક્ષા!; જાણો વિગત

એન્જિનિયરિંગ પ્રવેશ માટેની સૌથી લોકપ્રિય પરીક્ષા JEE મેન્સ 2026ના પ્રથમ સત્ર (Session 1) માટેની અરજી પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ વિગતવાર જાહેરનામું બહાર પાડ્યું છે અને વિદ્યાર્થીઓને સૂચના આપી છે કે સમયમર્યાદા પહેલા અરજી પૂરી કરી લેવી. મહત્વની તારીખો (Important Dates): – અરજીની શરૂઆત: 31 ઑક્ટોબર, 2025 – છેલ્લી તારીખ: 27 નવેમ્બર, 2025 – સત્ર 1 પરીક્ષા: 21 થી 30 જાન્યુઆરી, 2026 – સત્ર 2 પરીક્ષા: 1 થી 10 એપ્રિલ, 2026 – ઉમેદવારો jeemain.nta.ac.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આ વર્ષે વધુ પરીક્ષા કેન્દ્રો અને સુવિધાઓ NTAએ જણાવ્યું છે કે આ વર્ષે વિદ્યાર્થીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને દેશભરના અનેક શહેરોમાં નવા પરીક્ષા કેન્દ્રો ઉમેરવામાં આવશે. આથી વિદ્યાર્થીઓને પોતાના…