NEET પેપર લીક વિવાદ પર સરકારનો સ્પષ્ટ સંદેશ: ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું નહીં થાય
NEET પેપર લીક વિવાદને લઈને દેશભરમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે કેન્દ્ર સરકારે મોટો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ વચ્ચે સરકારના સૂત્રોએ જણાવ્યું છે કે ધર્મેન્દ્ર પ્રધાન પોતાના પદ પરથી રાજીનામું આપશે નહીં. સરકારનું માનવું છે કે માત્ર મંત્રી બદલવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે, પરંતુ પરીક્ષા વ્યવસ્થામાં રહેલી ખામીઓને દૂર કરવી વધુ જરૂરી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારનું ધ્યાન હાલમાં NEET સહિતની રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓને વધુ પારદર્શક, સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવાના પ્રયાસો પર છે. સૂત્રોએ જણાવ્યું કે જનતાએ સરકારને જવાબદારી સોંપી છે અને સરકાર આ જવાબદારી નિભાવતા પરીક્ષા પ્રણાલીમાં જરૂરી સુધારા કરશે. સાથે જ સરકાર અને શાસક પક્ષ બંને ધર્મેન્દ્ર પ્રધાનના સમર્થનમાં હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. રાજીનામું નહીં,…
આજ થી ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષા શરૂ, શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓને ટીપ્સ આપી
ધોરણ 10 અને 12ના બોર્ડ પરીક્ષાઓ આજથી શરૂ થવાની છે. આ અનુલક્ષીને, રાજ્યના શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે અને આ મહત્વપૂર્ણ ક્ષણ માટે તેમને પ્રેરણા પણ આપી છે. “થોડી મહેનત, હવે વિજેતા બનીને પાછા આવો!” શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, “આવતી પરીક્ષામાં તમારું હવે સુધીનું પરિશ્રમ અને મહેનત ફળ આપશે. વર્ષભરનો અભ્યાસ, સમય પર શીખવણીઓ અને લગનના પરિણામે તમારું સફળતા મળશે. આ પરીક્ષા તમારા શૈક્ષણિક જીવનનો મહત્વપૂર્ણ પડાવ છે, અને હવે તમે આ અવસરનો યોગ્ય ઉપયોગ કરો.” આત્મવિશ્વાસ અને એકાગ્રતા: સફળતાની ચાવી શિક્ષણ મંત્રીએ વધુમાં કહ્યું કે, “વિદ્યાર્થીઓએ શાંતિથી અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવી જોઈએ. પરીક્ષા દરમિયાન તણાવને દૂર રાખો અને પોતાના જ્ઞાન પર વિશ્વાસ રાખો. આ કાર્યક્ષમતા, યોગ્ય તૈયારી અને સમયના સંચાલન સાથે, તમે સફળતા…
વાલી અને વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, ખાનગી ટ્યુશન ક્લાસીસ પર સરકારે કસ્યો શંકોજો
ગુજરાત રાજ્ય સરકારે ખાનગી ટ્યુશન ક્લાસીસ પર નિયંત્રણ માટે મોટું પગલું ભર્યું છે. શિક્ષણ મંત્રી પ્રફુલ પાંશેરીયાએ જાહેર કર્યું છે કે ટ્યુશન ક્લાસીસના સંચાલનમાં સુધારવા અને પારદર્શિતા લાવવા માટે કાયદાકીય માળખું તૈયાર કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે 8 સભ્યોની વિશેષ કમિટી નિમેલી છે. શિક્ષણ મંત્રીએ શું કહ્યું? શિક્ષણ મંત્રી પ્રફુલ પાંશેરીયાએ કહ્યું,“ટ્યુશન ક્લાસીસ પર નિયમન જરૂરી બની ગયું છે. વાલીઓ અને વિદ્યાર્થીઓને લૂંટતા રોકવા માટે સરકાર કડક કાયદો લાવશે. કમિટી ટૂંક સમયમાં પોતાનું કાર્ય શરૂ કરશે અને સરકારને અહેવાલ આપશે.” નોટિફિકેશન પણ થયું જાહેર શિક્ષણ વિભાગ દ્વારા આ સંદર્ભમાં અધિકૃત નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ કાયદો વાલી અને વિદ્યાર્થીઓ બંને માટે રાહતભર્યો અને જરૂરી પગલું માનવામાં આવી રહ્યો છે. શા માટે જરૂર પડી? છેલ્લા…









