અમદાવાદ: બોડકદેવમાં NRI ટાવરમાં ફાયરિંગથી દંપતિનું મોત, જાણો શું છે મામલો

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં ફાયરિંગની ઘટનામાં દંપતિનું મોત થતાં શહેરમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ પતિએ ઉશ્કેરાઈને પત્નીની ગોળી મારી હત્યા કરી હતી અને ત્યારબાદ પતિએ પણ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. NRI ટાવરમાં બન્યો બનાવ આ ઘટના બોડકદેવ વિસ્તારમાં જજીઝ બંગલો ચાર રસ્તા પાસે આવેલા NRI ટાવરમાં બની હોવાનું જાણવા મળ્યું છે. ફાયરિંગનો અવાજ સંભળાતા આસપાસના રહેવાસીઓમાં ભય ફેલાયો હતો અને તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ ઘટના સ્થળે ઘટનાની જાણ થતા બોડકદેવ પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી છે. મૃતક દંપતિના લગ્નને માત્ર બે મહિના જેટલો સમય જ થયો હોવાનું…

સુરતના કામરેજમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકી પર ફાયરિંગ, પોલીસે તપાસ શરૂ કરી

સુરત જિલ્લામાં આજે સવારની ગંભીર ઘટના સામે આવી છે. કામરેજ તાલુકાના જોખા ગામ પાસે વાવ ગામની સીમમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) સોનલ સોલંકી પર અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ, સોનલ સોલંકી પોતાના બાળકને પ્લે સ્કૂલમાં મૂકવા જતી હતી, એ દરમિયાન આ હુમલો થયો. ગોળીબાર પછી તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલ સૂત્રો અનુસાર, તેમની સ્થિતિ ચિંતાજનક છે. પોલીસ અને ફોરેન્સિક ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી છે અને તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ સોનલ સોલંકીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમણે પોતાની કારમાં અજાણ્યો GPS ટ્રેકર લગાવાયેલો હોવાની વાત જણાવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનલ સોલંકીનો પતિ આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે…