પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે PM મોદી અને નેતન્યાહૂ વચ્ચે ટેલિફોનિક વાતચીત, 4 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને બદલાતા વૈશ્વિક રાજદ્વારી સમીકરણો વચ્ચે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર મહત્વપૂર્ણ વાતચીત કરી છે. ગુરુવારે થયેલી આ વાતચીત દરમિયાન બંને નેતાઓએ ભારત અને ઈઝરાયલ વચ્ચેના સંબંધો, સુરક્ષા સ્થિતિ અને ભવિષ્યના સહયોગ અંગે ચર્ચા કરી હતી. બંને દેશોના વડાપ્રધાનો વચ્ચે થયેલી આ વાતચીતને વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે હાલ પશ્ચિમ એશિયામાં અનેક પડકારો અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ સામે આવી રહ્યા છે. બંને નેતાઓએ વર્તમાન પરિસ્થિતિ અંગે પોતાના વિચારો રજૂ કર્યા અને પરસ્પર સહયોગ વધારવા પર ભાર મૂક્યો. ચાર મુખ્ય મુદ્દાઓ પર થઈ ચર્ચા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતમાં મુખ્યત્વે ચાર મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.…
PoJKમાં પાકિસ્તાનની બર્બરતા પર ભારતનો કડક પ્રહાર, જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હોવાનું પુનરોચ્ચાર
પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર (PoJK)માં તાજેતરમાં સર્જાયેલી પરિસ્થિતિને લઈને ભારતે પાકિસ્તાન સામે કડક વાંધો નોંધાવ્યો છે. વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે PoJKમાં નિર્દોષ નાગરિકો સામે કરવામાં આવી રહેલી કાર્યવાહી લોકશાહી મૂલ્યો અને માનવ અધિકારોની ભાવનાના વિરુદ્ધ છે. ભારતે આ કાર્યવાહીનો સખત વિરોધ કરતાં ફરી એકવાર સ્પષ્ટ કર્યું કે સમગ્ર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે. PoJKમાં વિરોધ પ્રદર્શન અને દમન પર ચિંતા વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ-કાશ્મીરમાં લોકો મોંઘવારી, બેરોજગારી, વીજળી, ખાદ્યસામગ્રીની અછત અને અન્ય મૂળભૂત સુવિધાઓના પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પરંતુ લોકોની ફરિયાદો સાંભળવાના બદલે પાકિસ્તાની તંત્ર બળપ્રયોગ અને દમનની નીતિ અપનાવી રહ્યું છે. ભારતના જણાવ્યા અનુસાર, શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા નાગરિકો સામે…
પશ્ચિમ એશિયામાં સંકટ વચ્ચે જર્મન ચાન્સેલર મેર્ઝ વ્હાઇટ હાઉસ ખાતે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મળ્યા
પશ્ચિમ એશિયામાં વધતા સંકટ વચ્ચે, જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ ઈરાન અને યુદ્ધ પછીની પરિસ્થિતિ પર ચર્ચા કરી. મેચે જણાવ્યું, “અમે સૌ ઇચ્છીએ છીએ કે આ યુદ્ધ શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત થાય.” મુલાકાત દરમિયાન, મેર્ઝે ટ્રમ્પને કહ્યું કે તેઓ તેહરાનમાં ભયાનક શાસન દૂર કરવા પર એકમત છે અને તે પછીની પરિસ્થિતિ પર પણ ચર્ચા થશે. ટ્રમ્પે ઈરાનમાં શાસન પરિવર્તન અંગે વાત કરી છે, જો કે યુદ્ધ ઉદ્દેશ્ય તરીકે એ જાહેર નથી થયું. વેપાર અને ટેરિફ મુદ્દા પણ ચર્ચા એજન્ડામાં રહ્યા. ટ્રમ્પે નવા ટેરિફ લાદવાની જાહેરાત કર્યા બાદ યુરોપિયન યુનિયન દ્વારા કરારની પુનઃપ્રક્રિયા અટકાવી દેવાઈ છે. યુક્રેન મુદ્દા પર પણ ચર્ચા થઈ, જ્યાં યુદ્ધ ચાર…
‘અમે શાંતિના દૂત’: ઇઝરાયલની સંસદમાં પીએમ મોદીનું સંબોધન, ગાઝા શાંતિ પહેલને ભારતનો ટેકો
લગભગ 9 વર્ષ બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય મુલાકાતે ઇઝરાયલ પહોંચ્યા છે. એરપોર્ટ પર તેમના સમકક્ષ બેન્જામિન નેતન્યાહૂ એ પ્રોટોકોલ તોડી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ ઇઝરાયલની સંસદને સંબોધિત કરતા કહ્યું કે, “હું 140 કરોડ ભારતીયોની મિત્રતાનો સંદેશ લઈને આવ્યો છું. ભારત શાંતિ, સંવાદ અને સ્થિરતાના માર્ગ પર વિશ્વ સાથે ઉભું છે.” ‘નિર્દોષોની હત્યા કોઈપણ કિંમતે સ્વીકાર્ય નથી’ પીએમ મોદીએ 7 ઓક્ટોબરના હુમલાની કડક નિંદા કરી અને કહ્યું કે ભારત આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ પર અડગ છે. તેમણે 26/11 મુંબઈ હુમલાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ભારત પણ આતંકવાદનો ભોગ બન્યું છે અને નિર્દોષ નાગરિકોની હત્યા કોઈપણ સંજોગોમાં યોગ્ય ઠરી શકતી નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ગાઝા શાંતિ પહેલને ભારત મજબૂત સમર્થન…
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને પરમાણુ હથિયાર પર જાણો કોને અલ્ટીમેટમ આપ્યું, જાણો વિગત
અમેરિકા અને ઈરાન વચ્ચે અત્યાર સુધીમાં બે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ ચૂકી છે – ઓમાન અને જિનેવા ખાતે. બંને બેઠકમાંથી કોઈ સ્પષ્ટ પરિણામ નિકળ્યું નથી. તાજેતરમાં વૉશિન્ગટન ડીસીમાં બોર્ડ ઓફ પીસના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ટ્રમ્પે ફરી ઈરાનને ચેતવણી આપી છે. ટ્રમ્પનો મેસેજ Donald Trumpએ કહ્યું કે ઈરાન સાથે પરમાણુ હથિયાર મુદ્દે કોઈ સ્થાયી અને સાર્થક સમાધાન લાવવું અનિવાર્ય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાનને પરમાણુ હથિયાર બનાવવાની પરવાનગી આપવામાં આવતી નથી. ટ્રમ્પે જણાવ્યું કે આ અંગેની વાત અમેરિકાએ ઈરાનને પહેલા જ સ્પષ્ટ કરી દીધી છે. તે મુજબ, પરમાણુ હથિયારના મુદ્દે કરેલી વાતચીત સકારાત્મક છે, પરંતુ અમુક જરૂરી પગલાં લીધા વિના કોઈ સમાધાન શક્ય નથી. આગામી તબક્કો ટ્રમ્પે જણાવ્યું કે આગામી 10 દિવસમાં સ્થિતિ પર વધુ સ્પષ્ટતા આવશે.…
“વાતચીત માટે તૈયાર, પણ દબાણ સહન નહીં” – ઈરાનની કડક ચેતવણી
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર તણાવ ગભરાઈ રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપતા જણાવ્યું કે, તેઓએ હવે નિર્ણય લેવો પડશે અથવા તો વાટાઘાટોના માર્ગે આગળ વધવું, અથવા તો ગંભીર સૈન્ય પરિણામો માટે તૈયાર રહેવું. ઈરાનની પ્રતિક્રિયા ઈરાનની તરફથી સ્પષ્ટ અને કડક પ્રતિક્રિયા મળી છે. ઇરાન સરકારે જણાવ્યું છે કે, તેઓ પરસ્પર આદર અને બંને દેશોના હિતોને ધ્યાનમાં રાખીને વાતચીત કરવા તૈયાર છે, પણ જો ધમકાવવામાં આવે અથવા દબાણ કરવામાં આવે તો પોતાનો બચાવ કરવા સક્ષમ છે. ઈરાનના નેતાઓએ ચેતવણી આપી છે કે, જો હુમલો કરવામાં આવે, તો એવો જવાબ આપવામાં આવશે જે વિશ્વે અગાઉ ક્યારેય જોયો ન હોય. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે, ઈરાન હવે કોઈ પણ પ્રકારની ધમકી સહન કરવા…
ગાઝા યુદ્ધ વિરામ માટે ટ્રમ્પનો નવો ‘માસ્ટરસ્ટ્રોક’, ઈઝરાયેલ, પાકિસ્તાન અને તુર્કી ‘પીસ બોર્ડ’માં જોડાવા તૈયાર
મધ્ય પૂર્વમાં ચાલતા સંઘર્ષ અને ખાસ કરીને ગાઝામાં શાંતિ સ્થાપવા માટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી અને મહત્વાકાંક્ષી પહેલ કરી છે. ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ને સમાંતર એક નવું વૈશ્વિક મંચ ‘બોર્ડ ઓફ પીસ’ (Peace Board) બનાવવાની જાહેરાત કરી છે. આ બોર્ડનો હેતુ ગાઝામાં યુદ્ધવિરામની દેખરેખ રાખવો અને પુનર્નિર્માણ પ્રક્રિયાને આગળ વધારવાનો છે. જોકે, આ પહેલને લઈને વૈશ્વિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ટ્રમ્પના ‘પીસ મિશન’માં કોણ જોડાઈ રહ્યું છે? આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ મુજબ, ઘણા દેશોએ આ બોર્ડમાં જોડાવા માટે સકારાત્મક સંકેતો આપ્યા છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે પરસ્પર વિરોધી ગણાતા દેશો પણ એક જ મંચ પર આવતાં દેખાઈ રહ્યા છે. – ઈઝરાયેલ: વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ…
“પીએમ મોદી મારાથી ખુશ નથી કારણ કે…” ટ્રમ્પનું મોટું નિવેદન, જાણો શું છે મામલો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેના સંબંધોને લઈને એક વખત ફરી ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. ટ્રમ્પે જણાવ્યું છે કે તેમની અને પીએમ મોદી વચ્ચે સારા સંબંધો છે, પરંતુ ભારત દ્વારા રશિયન તેલની ખરીદીને કારણે તેઓ પીએમ મોદાથી નારાજ છે. ટ્રમ્પના કહેવા મુજબ, રશિયા પાસેથી તેલ ખરીદવાના કારણે ભારતને ઊંચા ટેરિફ ચૂકવવા પડે છે, જે બાબત તેમને પસંદ નથી. તેમણે કહ્યું, “વડા પ્રધાન મોદી ખૂબ સારા વ્યક્તિ છે. તેઓ જાણે છે કે હું નાખુશ છું અને મને ખુશ કરવું જરૂરી છે.” સંરક્ષણ અને વેપાર મુદ્દે ટ્રમ્પની ટિપ્પણી એક મુલાકાતનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે દાવો કર્યો હતો કે પીએમ મોદીએ તેમને મળવા માટે પોતે સમય માગ્યો હતો. સંરક્ષણ સહયોગ અંગે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું…
લઘુમતીઓ અંગેની ટિપ્પણી પર MEAનો જડબાતોડ જવાબ, કહ્યું – પાકિસ્તાન પહેલા પોતાનો રેકોર્ડ જોઈ લે
ભારતમાં લઘુમતીઓની સ્થિતિ અંગે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ પર ભારતના વિદેશ મંત્રાલય (MEA)એ કડક પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢતા પાકિસ્તાનને આત્મમંથન કરવાની સલાહ આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાને ભારત પર આક્ષેપો કરવા પહેલા પોતાના દેશમાં લઘુમતીઓની હાલત પર નજર કરવી જોઈએ. તેમણે કહ્યું કે દુનિયા સારી રીતે જાણે છે કે પાકિસ્તાનમાં લઘુમતીઓની સ્થિતિ કેટલી ગંભીર છે અને પાકિસ્તાન પોતાનું સત્ય છુપાવી શકતું નથી. પાકિસ્તાનની ટિપ્પણીઓ પર ભારતની સ્પષ્ટતા હકીકતમાં, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર અંદ્રાબીએ ભારતમાં લઘુમતીઓની સ્થિતિ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે ભારતમાં ખાસ કરીને મુસ્લિમ સમુદાય સામે હિંસા વધી રહી છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયને આ…
PM મોદીને મળ્યા બાદ રશિયન PM પુતિને પાકિસ્તાનના PMને કર્યા ઇગ્નોર, જાણો સમગ્ર વાત
તુર્કમેનિસ્તાનની રાજધાની અશ્કાબાતમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય શાંતિ અને વિશ્વાસ મંચના ઉદ્ઘાટન પહેલા જ પાકિસ્તાન માટે ભારે ઘટના બની. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફને જાહેર રીતે અવગણતા ઇગ્નોર કર્યા. આ મંચમાં રશિયા, તુર્કી, ઈરાન, પાકિસ્તાન અને અન્ય ઘણા દેશોના વડાઓ હાજર રહ્યા હતા. શહબાઝ શરીફની હાસ્યસ્પદ સ્થિતિ મંચ પર લેવામાં આવેલ ગ્રુપ ફોટોમાં જોવા મળે છે કે પુતિન સીધા શહબાઝ શરીફના આગળ ઊભા થઈ ગયા. શહબાઝ હળવી સ્મિત સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ પુતિન તેમને અવગણતા આગળ ઊભા રહ્યા. વિડિયોમાં શહબાઝના ચહેરા પરની શરમ્યુક્ત ભાવનાઓ સ્પષ્ટ દેખાઈ રહી છે. આ ઘટના સોશિયલ મીડિયા પર તરંગો ઊભા કરી રહી છે. આંતરરાષ્ટ્રીય નેતાઓનું હાજર જથ્થું આ ફોરમમાં હાજર હતા: – રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન –…















