Surat : સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીનો માર,વેપારીઓના 100 કરોડથી વધારે રૂપિયા અટવાયા
સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીનો માર જોવા મળી રહ્યો છે. મંદિના માહોલમાં હીરા કારીગરોની હાલત કફોડી બની છે. ત્યારે ડાયમંડ વર્કર યુનિયનની ભાવ વધારાની માગણીને લઇ લેબર કમિશનરે ડાયમંડ વર્કર યુનિયનના વિવિધ યુનિયનો સાથે બેઠક યોજી હતી. જેમાં મહત્વની બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં રત્ન કલાકારોને મદદરૂપ થવાની તમામ બાબતો પર ચર્ચાઓ કરવામાં આવી છે. આ પણ વાંચો :- Gandhinagar : અસામાજીક તત્વોની દાદાગીરી હવે નહીં ચાલે, હર્ષ સંઘવીએ કહ્યું-કોઈ દંગા મચાવશે તો દાદાનું બુલડોઝર ફરશે આ ઉપરાંત સમગ્ર બાબતે નિરાકરણ લાવવા ડાયમંડ વર્કર યુનિયને માંગ કરી હતી. જો 30 માર્ચ સુધી નિરાકરણ ન આવે હડતાળની ચિમકી ઉચ્ચારી છે. ત્યારે બીજી તરફ સુરતમાં મંદી વચ્ચે હીરાના વેપારીઓ સાયબર ક્રાઇમની તપાસથી પરેશાન થવા પામ્યા છે. જેમાં…







