બાગેશ્વર ધામમાં બનશે ભારતનું પ્રથમ હિન્દુ ગામ, 1000 પરિવાર થશે સ્થાયી

મધ્યપ્રદેશના બાગેશ્વર ધામમાં ભારતનું પ્રથમ હિન્દુ ગામ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બુધવારે ધામના મુખ્ય પૂજારી પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એટલે કે બાબા બાગેશ્વરે આ ગામનો શિલાન્યાસ કર્યો હતો. મળતી માહિતી મુજબ, આ ગામ આગામી બે વર્ષમાં તૈયાર થઈ જશે. બાબા બાગેશ્વરે જણાવ્યું હતું કે આ ગામ બાગેશ્વર ધામ સંકુલની અંદર જ વિકસાવવામાં આવશે, જેમાં 1,000 પરિવારો સ્થાયી થશે અને તે સંપૂર્ણપણે હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાઓ અનુસાર હશે. બાબા બાગેશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી લાંબા સમયથી હિન્દુ રાષ્ટ્રની કલ્પના પર કામ કરી રહ્યા છે. તેમણે પહેલા હિન્દુ રાષ્ટ્રધ્વજની ઘોષણા કરી અને હવે હિન્દુ ગામ સ્થાપવાનો સંકલ્પ કર્યો છે. આ ગામનો પાયો બાગેશ્વર ધામ સંકુલમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે નાખવામાં આવ્યો હતો. બાબા બાગેશ્વર માને છે કે હિન્દુ…

તમે અમને સાથ આપશો તો અમે તમને હિન્દુ રાષ્ટ્ર આપીશું, બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન

બિહારના ગોપાલગંજમાં બાગેશ્વર ધામના મુખ્ય પૂજારી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ શુક્રવારે હનુમાન કથાના બીજા દિવસે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો હિન્દુઓ એકલા રહેશે તો તેઓ તૂટી જશે, પરંતુ જો તેઓ સાથે રહેશે તો તેમને કોઈ તોડી શકશે નહીં. જો કૂતરા પર પથ્થર ફેંકવામાં આવે તો તે ભાગી જશે, પરંતુ જો તે જ પથ્થર મધમાખીના મધપૂડા પર ફેંકવામાં આવે તો માણસે ભાગવું પડશે. આનો અર્થ એ થયો કે કૂતરો એકલો હતો, જ્યારે મધમાખીઓ સાથે હતી. તેવી જ રીતે, જો હિન્દુઓ અલગ રહેશે તો તેમણે ભાગવું પડશે, પરંતુ જો હિન્દુઓ એક રહેશે તો દેશદ્રોહીઓએ ભાગવું પડશે. આ પણ વાંચો :- Ahmedabad : હોળીનાં તહેવારને લઈને સ્પેશિયલ ટ્રેનો દોડશે, ઓનલાઈન ટિકિટ કરી શકાશે બૂક ધીરેન્દ્ર કૃષ્ણ…