131 સેલિબ્રિટીઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે, અભિનેતા ધર્મેન્દ્રને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે

પદ્મ વિભૂષણ પુરસ્કાર માટે પાંચ હસ્તીઓની પસંદગી કરવામાં આવી છે, જ્યારે પદ્મ ભૂષણ પુરસ્કાર માટે ૧૩ હસ્તીઓ અને પદ્મશ્રી પુરસ્કાર માટે ૧૧૩ હસ્તીઓની પસંદગી કરવામાં આવી છે.   વર્ષ 2026 માટે કેન્દ્ર સરકાર દ્વારા કુલ 131 હસ્તીઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ અભિનેતા ધર્મેન્દ્ર સહિત પાંચ હસ્તીઓને પદ્મ વિભૂષણ, 13 હસ્તીઓને પદ્મ ભૂષણ અને 113 હસ્તીઓને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવશે. આ યાદીમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રમતગમત જગતમાંથી 9 હસ્તીઓ, કલા ક્ષેત્રે વિશેષ કાર્ય બદલ 44 હસ્તીઓ અને સામાજિક કાર્યમાં યોગદાન બદલ 13 લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. પદ્મ પુરસ્કારો દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાં સ્થાન ધરાવે છે. આ…

દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન, હિન્દી સિનેમાના એક યુગનો અંત

બોલીવુડના હી-મેન તરીકે જાણીતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે અવસાન થયું છે.   આ સમાચારથી સમગ્ર ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.  અમિતાભ બચ્ચન સહીત અભિનેતાઓ વિલે પાર્લે સ્મશાન પહોંચ્યા છે. થોડા દિવસ પહેલા ધર્મેન્દ્રને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સેલેબ્સ તેમના સ્વાસ્થ્ય અંગે ખૂબ ચિંતિત થઈ ગયા. બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન, સલમાન ખાન અને અભિનેતા ગોવિંદાએ તેમના ખબરઅંતર પૂછવા માટે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. 300 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું ધર્મેન્દ્ર હિન્દી સિનેમાના સૌથી આદરણીય અને લોકપ્રિય સ્ટાર્સમાંના એક છે. સાત દાયકાથી વધુની કારકિર્દીમાં, તેમણે 300 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો, જેમાં “શોલે”, “ચુપકે ચુપકે”, “સીતા ઔર ગીતા” અને “ધરમ વીર” જેવી સુપરહિટ ફિલ્મોનો સમાવેશ થાય છે. ધર્મેન્દ્ર તાજેતરમાં “રોકી ઔર રાની કી પ્રેમ કહાની”…

‘હી-મેન’ ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી અપાઈ રજા, ‘બીગ બી’ અમિતાભ બચ્ચનએ પૂછ્યા સમાચાર

બોલીવુડના ‘હી-મેન’ તરીકે જાણીતા દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને 11 દિવસ બાદ આખરે હોસ્પિટલમાંથી રજા મળી છે. 1 નવેમ્બરથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ધર્મેન્દ્ર આજે, બુધવારે સવારે ઘરે પરત ફર્યા છે. હાલ તેમની તબિયત સ્થિર છે અને ડોક્ટરોની સલાહ મુજબ તેઓની સારવાર હવે ઘરે જ ચાલુ રહેશે. હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ ધર્મેન્દ્રને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પરિવારના સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે તેમની તબિયતમાં ઘણો સુધારો થયો છે અને તેઓ આરામની અવસ્થામાં છે. બોલીવુડના દિગ્ગજો પહોંચ્યા ખબર પૂછવા ધર્મેન્દ્રના ડિસ્ચાર્જ બાદ ફિલ્મ જગતના અનેક દિગ્ગજ કલાકારો તેમને મળવા અને તેમની તબિયત અંગે પૂછપરછ કરવા તેમના જુહુ સ્થિત નિવાસસ્થાન પર પહોંચ્યા. – અમિતાભ બચ્ચન: ‘શોલે’ ફિલ્મના સહ-અભિનેતા અને નજીકના મિત્ર…

હેમા માલિનીએ ધર્મેન્દ્રની હેલ્થ અપડેટ આપી: કહ્યું, ‘પ્રાર્થના કરો…’

ફેમસ એક્ટર ધર્મેન્દ્ર હાલમાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં મેડિકલ ઓબ્જર્વેશન હેઠળ છે. તેમના હેલ્થ વિશે એક્ટ્રેસ અને પત્ની હેમા માલિનીએ ફેન્સને અપડેટ આપી છે. 10 નવેમ્બરના રોજ હેમાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ફેન્સના પ્રાર્થના અને ચિંતાઓ બદલ આભાર વ્યક્ત કર્યો અને પુષ્ટિ આપી કે 89 વર્ષના “હી-મેન” હવે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા છે. હેમા માલિનીએ ધર્મેન્દ્રના મૃત્યુની ચર્ચાઓને નકારી કાઢતા જણાવ્યું કે, એક્ટરને ડોકટરોની દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે. હેમાની પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ, જેના પર ફેન્સ અને સેલિબ્રિટીઓએ ખુશી વ્યક્ત કરી. ધર્મેન્દ્રની તબિયત હેમા માલિનીએ લખ્યું: “હું ધર્મજી પ્રત્યેની ચિંતાઓ બદલ બધાનો આભાર માનું છું. તેઓ હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ છે, અને તેમની નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે.…