ઓરંગજેબ પર નાગપુરમાં મચ્યું તોફાન, પથ્થરમારો, તોડફોડ અને આગચંપીની ઘટના
મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબર પર થયેલા હોબાળા બાદ, સોમવારે સાંજે નાગપુરના મહાલ વિસ્તારમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ સમય દરમિયાન, તોફાનીઓએ ઘણા વાહનોને આગ ચાંપી દીધી. તેમણે પોલીસ પર પથ્થરમારો કર્યો અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું. પથ્થરમારામાં ડીસીપી સહિત ઘણા પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે, વહીવટીતંત્રે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં કર્ફ્યુ લાદ્યો છે અને વધારાનું પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. આ કેસમાં પોલીસે 40 બદમાશોની અટકાયત કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે સોમવારે સાંજે ૭.૩૦ વાગ્યાની આસપાસ મધ્ય નાગપુરના ચિટનીસ પાર્ક વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી, પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પીટીઆઈ અનુસાર, એક અફવા ફેલાઈ હતી કે ઔરંગઝેબની કબરને દૂર કરવા માટે વીએચપી-બજરંગ દળ દ્વારા કરવામાં આવેલા આંદોલન દરમિયાન મુસ્લિમ…







