મલેશિયામાં 130 વર્ષ જુના મંદિરને તોડીને બનાવાશે મસ્જિદ, દેશમાં લઘુમતીઓના અધિકારોને લઇને ચિંતા વધી
મલેશિયાના કુઆલાલંપુરમાં ૧૩૦ વર્ષ જૂના દેવી શ્રી પત્થરકાલીયમ્માન મંદિરને તોડીને મસ્જિદ બનાવવાની યોજનાએ વિવાદ ઉભો કર્યો છે. આ મંદિર શહેરના ફ્લેટ અને કાપડની દુકાનોની વચ્ચે આવેલું છે. તાજેતરમાં, મલેશિયાની અગ્રણી કાપડ કંપની જેકેલને આ જમીનના માલિકી હકો મળ્યા છે. આ પછી કંપનીએ અહીં એક મસ્જિદ બનાવવાની યોજના બનાવી છે. જોકે, આ નિર્ણયથી મલેશિયામાં ધાર્મિક અસમાનતા અને લઘુમતી અધિકારો અંગે ચિંતા વધી ગઈ છે. કુઆલાલંપુરમાં મસ્જિદ ઇન્ડિયાની બાજુમાં આવેલું મંદિર ૧૩૦ વર્ષ જૂનું છે. આ મંદિર ૧૪૦ વર્ષ જૂની તમિલ મુસ્લિમ મસ્જિદની નજીક આવેલું છે. તે મસ્જિદના નિર્માણના 10 વર્ષ પછી બનાવવામાં આવ્યું હતું. જે જમીન પર મંદિર અને મસ્જિદ આવેલી છે તે જમીન 2014 માં જેકલ કંપનીને વેચી દેવામાં આવી હતી અને કંપની અહીં એક મસ્જિદ…







