PM મોદીની સચિવો સાથે ઉચ્ચસ્તરીય બેઠક, લાંબા ગાળાની વિચારસરણી અને ડેટાના અસરકારક ઉપયોગ પર ભાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત સરકારના સચિવો સાથે ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠક દરમિયાન દેશના આગામી દાયકાઓના વિકાસને ધ્યાનમાં રાખીને લાંબા ગાળાની નીતિ અને આયોજન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. વડાપ્રધાને અધિકારીઓને માત્ર વર્તમાન પડકારોનું સમાધાન કરવા પૂરતું મર્યાદિત ન રહેતા ભવિષ્યમાં દેશ સામે ઊભી થનારી જરૂરિયાતો, તકો અને પડકારોને ધ્યાનમાં રાખીને નીતિઓ ઘડવા સૂચન કર્યું હતું. આ બેઠકમાં સરકારના વિવિધ વિભાગોના સચિવોએ દેશની વિકાસયાત્રા સાથે જોડાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ અને નીતિઓના અમલીકરણ દરમિયાન આવતી મુશ્કેલીઓ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. વડાપ્રધાને અધિકારીઓને નવી વિચારસરણી સાથે કામ કરવા અને વિવિધ વિભાગો વચ્ચે વધુ સારો સંકલન સ્થાપિત કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ડેટાને રાષ્ટ્રીય સંપત્તિ ગણાવ્યો બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ ડેટાના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો…

IAFની તાકાતમાં થશે મોટો વધારો, 60 આધુનિકીકરણ પ્રોજેક્ટ્સ પર કામ; ‘સુપર સુખોઈ’થી AMCA સુધી તૈયારી

ભારતીય વાયુસેના (IAF) પોતાની ઓપરેશનલ ક્ષમતા અને ટેક્નોલોજીકલ તાકાત વધારવા માટે આધુનિકીકરણની દિશામાં મોટા પાયે કામ કરી રહી છે. વાયુસેનાની ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવા માટે આશરે 60 જેટલા આધુનિકીકરણ પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે. આ પ્રોજેક્ટ્સમાં સરકારી સંસ્થા DRDOની સાથે દેશની ખાનગી ડિફેન્સ કંપનીઓની પણ મહત્વપૂર્ણ ભૂમિકા રહેવાની છે. આ આધુનિકીકરણનો મુખ્ય હેતુ માત્ર નવા હથિયારો અને સિસ્ટમો સામેલ કરવાનો નથી, પરંતુ ભારતીય વાયુસેનાને વધુ નેટવર્ક-સેન્ટ્રિક, ટેક્નોલોજી આધારિત અને સ્વદેશી ક્ષમતાઓથી સજ્જ બનાવવાનો છે. આ પ્રક્રિયા દ્વારા ભારતની વિદેશી ડિફેન્સ ટેક્નોલોજી પરની નિર્ભરતા ઘટાડવા અને સ્થાનિક ડિફેન્સ ઉદ્યોગને વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. IAFના 60 પ્રોજેક્ટ્સમાં શું થશે? IAFના આધુનિકીકરણ કાર્યક્રમોમાં અદ્યતન રડાર, એવિઓનિક્સ, ઈલેક્ટ્રોનિક વૉરફેર સિસ્ટમ, સુરક્ષિત કોમ્યુનિકેશન નેટવર્ક,…

ભારત-ફ્રાંસ વચ્ચે રાફેલ ફાઈટર જેટ ડીલની તૈયારી, ભારતીય વાયુસેનાને મળશે વધારાના આધુનિક વિમાન

ભારત પોતાની રક્ષાક્ષમતાને વધુ મજબૂત બનાવવા માટે ફ્રાંસ સાથે એક મહત્વપૂર્ણ સંરક્ષણ સોદાની તૈયારી કરી રહ્યું છે. આ પ્રસ્તાવિત ડીલ અંતર્ગત ભારતીય વાયુસેનાને વધારાના રાફેલ ફાઈટર જેટ મળી શકે છે. જૂના ફાઈટર વિમાનો નિવૃત્ત થવાના કારણે ઊભી થયેલી ખામી પૂરી કરવા માટે આ ડીલને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સોદાની મુખ્ય વિશેષતાઓ આ સંભવિત ડીલ હેઠળ રાફેલ ફાઈટર જેટના મોટા ભાગનું ઉત્પાદન ભારતમાં જ કરવામાં આવશે, જે ‘મેક ઇન ઈન્ડિયા’ પહેલને વેગ આપશે. આ પગલું ભારતીય સંરક્ષણ ઉદ્યોગને નવી દિશા આપશે અને આત્મનિર્ભર ભારતના લક્ષ્યને વધુ મજબૂત કરશે. ભારત-ફ્રાંસ વચ્ચે તીવ્ર વાટાઘાટો અહેવાલો મુજબ, ભારત અને ફ્રાંસ વચ્ચે રાફેલ ફાઈટર જેટને લઈને વાટાઘાટો હાલ નિર્ણાયક તબક્કામાં છે. માનવામાં આવી રહ્યું છે કે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ…