‘મને રાહુલ ગાંધી સાથે કોઇ પ્રોબ્લેમ નથી, તેમને શાંતિથી રહેવા દો’ જાણો પ્રીતિએ આવું કેમ કહ્યું
પ્રીતિ ઝિન્ટાએ તાજેતરમાં તેના સોશિયલ મીડિયા હેન્ડલ @X પર “આસ્ક મી એનિથિંગ” સેશનનું આયોજન કર્યું હતું, જેમાં તેણીએ તેના આગામી પ્રોજેક્ટ્સ, રાજકારણ અને IPL ટીમ પંજાબ કિંગ્સ વિશે વાત કરી હતી. અભિનેત્રીએ કંગના રનૌત, એઆઈ અને સોશિયલ મીડિયા સંબંધિત અન્ય વિષયો વિશે પણ વાત કરી. તે જ સમયે, એક યુઝરે પૂછ્યું કે, તમે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ ક્યારે દાખલ કરી રહ્યા છો? અભિનેત્રીએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી અને એક ટ્વિટ શેર કર્યું. પ્રીતિ ઝિન્ટાએ લખ્યું, મને આશ્ચર્ય થાય છે કે ભારતમાં સોશિયલ મીડિયા કેટલું ટોક્સિક બની ગયું છે અને દરેક ટિપ્પણીને રાજકીય ત્રાજવા પર કેવી રીતે તોલવામાં આવે છે ? હું રાજકારણી નથી કે મને રાજકારણમાં કોઈ રસ નથી, પરંતુ એક સામાન્ય માણસ તરીકે,…







