રાહુલ ગાંધીને રાહત, માનહાનિના કેસ પર સુપ્રીમ કોર્ટે વચગાળાનો સ્ટે લગાવ્યો

ઝારખંડની રાજધાની રાંચીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ચાલી રહેલા માનહાનિના કેસ પર સુપ્રીમ કોર્ટે વચગાળાનો સ્ટે લગાવી દીધો છે. ફરિયાદીને કેસ સમાપ્ત કરવાની માંગ કરતી નોટિસ જારી કરવામાં આવી છે.2018 માં,ભાજપના એક કાર્યકર્તાએ તત્કાલીન ભાજપ પ્રમુખ અમિત શાહને ખૂની કહેવા બદલ આ કેસ દાખલ કર્યો હતો. -> કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ વાત કહી હતી :- 2018 માં કોંગ્રેસના અધિવેશનમાં ભાષણ આપતી વખતે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપ એવી પાર્ટી છે કે તેના કાર્યકરો એક ખૂનીને પણ પ્રમુખ તરીકે સ્વીકારે છે. આનાથી દુઃખી થઈને, રાંચીના ભાજપ કાર્યકર નવીન ઝાએ શહેરની કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. રાહુલે આ કેસનો અંત લાવવા માટે ઝારખંડ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. પરંતુ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં…