સુશાંત સિંહ: સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં બોમ્બે હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી, આદિત્ય ઠાકરેનું નામ પણ સામેલ
બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં બુધવારે મુંબઈ હાઈકોર્ટમાં ફરી સુનાવણી શરૂ થઈ રહી છે. આ કેસ સંબંધિત એક અરજી બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે જેમાં શિવસેના ઉદ્ધવ ઠાકરે (UBT) ના ધારાસભ્ય આદિત્ય ઠાકરેનું નામ પણ સામેલ છે. ઉપરાંત, સુશાંતની મેનેજર દિશા સલિયન (૨૦૨૦) ના મૃત્યુની તપાસની માંગ કરવામાં આવશે. -> સુશાંતની હત્યા કે આત્મહત્યાની તપાસની માંગ :- આ કેસમાં, વર્ષ 2023 માં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ લિટિગન્ટ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા એક અરજી દાખલ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂત 14 જૂન, 2020 ના રોજ મુંબઈના બાંદ્રા સ્થિત તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસ અને તપાસ એજન્સીઓ દ્વારા શરૂઆતની તપાસમાં આ કેસને આત્મહત્યા ગણાવવામાં આવી રહ્યો હતો,…







