ગુજરાતમાં ઠંડીનો ચમકારો: અંબાલાલ પટેલની આગાહી, નવેમ્બર અંતથી કડકડતી ઠંડીની એન્ટ્રી
ગુજરાતમાં કમોસમી વરસાદનો રાઉન્ડ પૂરો થતાં જ હવે ઠંડીનો ભયાનક ચમકારો જોવા મળશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનો તીવ્ર રાઉન્ડ શરૂ થશે. ઉત્તર ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી સુધી ઘટી શકે છે, જ્યારે નવેમ્બર અંત અને ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડી પડવાની શક્યતા છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ: – 18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની સંભાવના છે. – ચક્રવાતને કારણે દક્ષિણ ભારતમાં વરસાદ વધશે અને ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. – ઉત્તર ગુજરાતમાં તાપમાન 15 ડિગ્રી સુધી ઘટી શકે છે. – નવેમ્બર ત્રીજા સપ્તાહથી પશ્ચિમી વિક્ષેપના કારણે ઠંડી વધશે. – ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધુ તીવ્ર બનશે. ગુજરાતમાં શું બદલાશે? હવામાન નિષ્ણાતના અનુમાન મુજબ, હવે રાજ્યમાં ધૂંધળું વાતાવરણ,…
ચક્રવાતની ચેતવણી: મોન્થા પછી ફરી એક વાવાઝોડું ત્રાટકશે?, IMD ની આગાહી મુજબ કાલથી વધુ તીવ્ર બનશે
બંગાળની ખાડી પર નવી હવામાન પ્રણાલી સક્રિય થતાં હવામાન વિભાગે ચક્રવાતની ચેતવણી જારી કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, 2 નવેમ્બરના રોજ સવારે પૂર્વ-મધ્ય બંગાળની ખાડી અને મ્યાનમાર દરિયાકાંઠે નીચા દબાણનું ક્ષેત્ર સર્જાયું છે, જે આવતા 48 કલાકમાં વધુ તીવ્ર બનવાની શક્યતા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ “ચક્રવાતી પરિભ્રમણ”ના સ્વરૂપમાં વિકસતી જઈ રહી છે, જે સમુદ્ર સપાટીથી 5.8 કિલોમીટર ઊંચાઈ સુધી વ્યાપી છે. આ હવામાન પ્રણાલી ઉત્તર અને પછી ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાની ધારણા છે. IMD એ ઉત્તર આંદામાન સમુદ્ર માટે તોફાની હવામાનની ચેતવણી જાહેર કરી છે, જ્યાં 55 કિમી પ્રતિ કલાક સુધીના તીવ્ર પવનની શક્યતા છે. 4 નવેમ્બરથી આ સિસ્ટમ વધુ તીવ્ર બનશે અને દરિયાની સ્થિતિ પણ જોખમી રહેશે, એવું અનુમાન છે. સ્થાનિક…
મોન્થાનો ચક્રવાતનો મહાખતરો: આંધ્રપ્રદેશના કિનારે તોળાઈ રહ્યું સંકટ, 4 રાજ્યોમાંથી 50 હજાર લોકોનું સ્થળાંતર
બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાતી વાવાઝોડું ‘મોન્થા’ વધુ તીવ્ર બનીને દક્ષિણ ભારત તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું દરિયાકાંઠાના વિસ્તારોમાં ગંભીર ખતરો ઉભો કરી રહ્યું છે અને વિશેષતઃ આંધ્રપ્રદેશના કિનારે ભારે નુકસાનનો અંદેશો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, વાવાઝોડું હાલમાં આંધ્રપ્રદેશના દરિયાકિનારેથી માત્ર 50 કિલોમીટર દૂર છે અને પવનની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનારા 24 કલાકમાં કાકીનાડા અને મછલીપટ્ટનમ વચ્ચે આંધ્રપ્રદેશના કિનારેથી વાવાઝોડું પસાર થવાની સંભાવના છે, જેમાં પવનની મહત્તમ ગતિ 110 કિમી/કં સુધી પહોંચી શકે છે. 4 રાજ્યોમાં હાઈ એલર્ટ આ ગંભીર પરિસ્થિતિને પગલે આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ સરકારોએ હાઈ એલર્ટ જાહેર કર્યું છે. નિકાસ અને સલામતી માટે રાજ્ય સરકારોએ 50,000 થી વધુ લોકોને…
ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ચક્રવાતી તોફાનની ચેતવણી, માછીમારોને દરિયામાં ન જવાની સલાહ
હવામાન વિભાગ (IMD) એ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચક્રવાતી પ્રવૃત્તિ વધતા ઓડિશા અને આંધ્રપ્રદેશ માટે ચેતવણી જાહેર કરી છે. આગામી દિવસોમાં ચક્રવાતી તોફાન વધુ તીવ્ર બનવાની શક્યતા દર્શાવવામાં આવી છે. IMD ભુવનેશ્વરના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે 26 ઓક્ટોબર સુધીમાં બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડું સર્જાઈ શકે છે, જે 28 ઓક્ટોબરની સાંજે કે રાત્રે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે કાકીનાડા નજીક, માછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે લેન્ડફોલ કરશે. તેમણે જણાવ્યું હતું કે હાલ પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં રચાયેલ ડિપ્રેશન 12 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ હાલ ગોવાથી 450 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ અને મુંબઈથી 430 કિમી દક્ષિણપશ્ચિમમાં સ્થિત છે. IMD અનુસાર, આગામી 24 કલાકમાં આ ડિપ્રેશન વધુ તીવ્ર બનશે, પરંતુ હાલ ભારતીય દરિયાકાંઠા પર…
દક્ષિણ ભારતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી, ગુજરાત સહિત ઉત્તર ભારતમાં વાતાવરણ રહેશે સૂકું
ભારતના દક્ષિણ રાજ્યો માટે આગામી દિવસો ભારે વરસાદ લઈને આવી રહ્યા છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં સર્જાયેલું હવામાન તંત્ર દેશના દક્ષિણ ભાગ માટે પડકારરૂપ બનવાનું સંકેત આપે છે. બીજી તરફ, ગુજરાત અને ઉત્તર ભારત માટે હાલ કોઈ મોટી ચેતવણી આપવામાં આવી નથી. અરબ સાગરમાં ચક્રવાતની શક્યતા: શું છે હાલની પરિસ્થિતિ? – દક્ષિણ-પૂર્વ અરબ સાગર અને લક્ષદ્વીપ પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. – આગામી 48 કલાકમાં તે લો-પ્રેશર એરિયામાં ફેરવાઈ શકે છે (18–19 ઓક્ટોબર દરમિયાન). – 20 ઓક્ટોબર સુધીમાં આ સિસ્ટમ ડિપ્રેશન કે પછી સાયક્લોનિક સ્ટોર્મમાં પણ ફેરવાઈ શકે છે. – હાલના IMDના અનુમાન મુજબ, આ ચક્રવાત ઓમાન કે સોમાલિયા તરફ આગળ વધે તેવી સંભાવના છે, એટલે કે ભારતના કિનારાથી લેન્ડફોલ થવાની શક્યતા ઓછી છે. ક્યા…
દિવાળીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની આગાહી, IMDએ આપી ચેતવણી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આ વર્ષે મેઘરાજા પણ પોતાનો “હિસ્સો” આપવા તૈયાર છે. ભારતના હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, દિવાળીના દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા અને ગાજવીજ સાથેના વરસાદની શક્યતા છે. IMDની આગાહી મુજબ, વરસાદ થઈ શકે તેવા મુખ્ય જિલ્લાઓ: – 16 ઓક્ટોબર: તાપી, નવસારી, ડાંગ, વલસાડ – 17 ઓક્ટોબર: ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ સહિત ઉપરોક્ત જિલ્લાઓ – 18-19 ઓક્ટોબર: અમરેલી, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, ગીર સોમનાથ આ સ્થળોએ હળવાથી સામાન્ય વરસાદ, અને કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. બાકીના વિસ્તારોમાં શુષ્ક વાતાવરણ રહેશે. શ્રીલંકા નજીક સક્રિય સિસ્ટમમાંથી વાવાઝોડાની શક્યતા! હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં શ્રીલંકા નજીક એક લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. જો આ સિસ્ટમને અનુકૂળ…
આગામી સાત દિવસમાં રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી, અન્ય રાજ્યોમાંથી ચોમાસુ વિદાય લેશે
દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. પહાડી વિસ્તારોમાં તાજેતરમાં થયેલી હિમવર્ષા અને વરસાદના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રાષ્ટ્રીય રાજધાની અને આસપાસના રાજ્યોમાં 13 ઓક્ટોબરથી સ્વચ્છ હવામાન રહેશે અને આગામી પાંચ દિવસ માટે મોટું હવામાન ફેરફાર શક્ય નથી. હવામાન વિભાગની માહિતી પ્રમાણે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, સિક્કિમ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને ઉત્તરપૂર્વ ભારતના કેટલાક ભાગોમાં આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસાની વિદાય માટે અનુકૂળ પરિસ્થિતિ રહેશે. ત્યારે કેરળ અને તમિલનાડુમાં આગામી સાત દિવસ દરમિયાન ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગ જણાવે છે કે 12 થી 18 ઓક્ટોબર સુધી તમિલનાડુ, કેરળ, લક્ષદ્વીપ, દક્ષિણ આંતરિક કર્ણાટક, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ અને રાયલસીમામાં હળવો થી મધ્યમ વરસાદ રહેશે, અને કેટલીક જગ્યાએ…















