સુપ્રીમ કોર્ટે ઝેરી કફ સિરપ કેસમાં CBI તપાસની અરજી ફગાવી, 23 બાળકોના મોતની ઘટનાઓ પર થઈ ચર્ચા

મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ઝેરી કફ સિરપ પીવાના કારણે થયેલા બાળકોના મોતના ગંભીર મામલે સુપ્રીમ કોર્ટે CBI તપાસની માંગ કરતી જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. અરજી વિસાલ તિવારી દ્વારા દાખલ કરવામાં આવી હતી જેમાં સમગ્ર ઘટનાની તપાસ કરવા અનુરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે અરજી કેમ ફગાવી? ચીફ જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે આ અરજી પર સુનાવણી કરવાની ઈચ્છા વ્યક્ત કરેલી હતી, પરંતુ જાણ થતાં કે અરજદાર અગાઉથી જ 10થી વધુ જાહેર હિતની અરજી દાખલ કરી ચુક્યા છે, તેમણે આ નવી અરજી પર સુનાવણીનો દરવાજો બંધ કર્યો અને અરજી ફગાવી દીધી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટે અરજીનો વિરોધ કરતા કહ્યું કે અરજી માત્ર સમાચાર અહેવાલો પર આધારિત છે…