Narmada : આવતીકાલથી નર્મદા પરિક્રમાની શરુઆત, તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાઈ

આવતીકાલથી નર્મદા પરિક્રમાની શરુઆત થઈ રહી છે. માં નર્મદાની પંચકોશી પરિક્રમા જેને મીની મહાકુંભ કહેવામાં આવી રહી છે, જે શનિવારથી ચૈત્ર મહિનાના શરૂ થનારી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાની તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. નર્મદા નદીમાં આ વખતે ઉત્તરવાહીની પરિક્રમા છે જેને લઇને નર્મદા જિલ્લાના તંત્રએ ખાસ તૈયારીઓ કરી છે. આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાતમાં માવઠુ થશે કે નહીં ? જાણો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી તંત્ર દ્વારા ખાસ તૈયારીઓ :- પગપાળા પ્રવાસીઓ નર્મદા નદી પાર કરી શકશે તેની વ્યવસ્થા કરવામાં આવી છે.અને ગત વર્ષે કામચલાઉં પુલ નર્મદા ડેમમાંથી પાણી છોડાતા પાણીમાં વહી ગયો હતો જેના કારણે આ વખતે મોટા ભુંગળા મૂકીને પુલ બનાવવામાં આવ્યો છે. શહેરાવ ઘાટથી તિલકવાડાની વચ્ચે 700 મીટર લાંબો પુલ…