ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો: પવનની દિશા બદલાતા લોકોને આંશિક રાહત

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. પવનની દિશા બદલાતા રાજ્યના અનેક શહેરોમાં ઠંડીમાંથી આંશિક રાહત મળી છે. હાલ કંડલામાં 12.6 ડિગ્રી, ભુજમાં 12.6 ડિગ્રી, અમરેલીમાં 14.6 ડિગ્રી, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી, દ્વારકામાં 15.8 ડિગ્રી અને અમદાવાદમાં 15.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બીજી તરફ હવામાન વિભાગ (IMD) દ્વારા ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાં વરસાદ અને બરફવર્ષા: રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોડી રાતથી વરસાદ શરૂ થયો છે. હિમાલયના રાજ્યોમાં વધુ એક રાઉન્ડમાં વરસાદ અને બરફવર્ષા થઈ રહી છે. હિમાચલ પ્રદેશના શિમલા અને મનાલીમાં સિઝનની પ્રથમ બરફવર્ષા નોંધાઈ છે. આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને…

શિયાળામાં દરરોજ 1 ચમચી મધ ખાવાથી દૂર રહે છે અનેક બીમારીઓ; જાણો ફાયદા

શિયાળામાં મધનું સેવન આરોગ્ય માટે અત્યંત લાભદાયક માનવામાં આવે છે. આયુર્વેદ મધને અમૃત સમાન માને છે, કારણ કે તે વાત અને કફને સંતુલિત કરી શરીરને સ્વસ્થ રાખે છે. ખાસ કરીને ઠંડીના દિવસોમાં મધ ઉધરસ, શરદી અને ગળાના દુખાવામાં તાત્કાલિક રાહત આપે છે. શિયાળામાં મધ કેવી રીતે કરવું સેવન? આયુર્વેદ નિષ્ણાતો અનુસાર સવારે ખાલી પેટે 1 ચમચી મધ નવશેકા (લૂકવોર્મ) પાણી સાથે પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીર હવામાનનાં પ્રભાવથી સુરક્ષિત રહે છે. શિયાળામાં મધના મુખ્ય ફાયદા – રોગપ્રતિકારક શક્તિ વધે છે – ઉધરસ અને શરદીમાં તરત રાહત – ગળાનો દુખાવો ઓછો કરે – ઓછી ઉર્જા અને થાક દૂર કરે – પાચન સુધારે, કબજિયાત અને ગેસમાં રાહત આપે – નેચરલ ગ્લુકોઝ–ફ્રુક્ટોઝ શરીરને ગરમી અને એનર્જી આપે…